ભારતના બેસ્ટ રોમાંટિક વેડિંગ ડેસ્ટિનેશન્સ
[ટ્રાવેલ] 'પ્યાર હમારા અમર રહેગા, યાદ કરેગા જહાં..' હા મિત્રો પ્રેમમાં પડનારાઓ માટે કસ્મે-વાદે, ઇરાદા અને આજીવન સાથે રહેવાની ઇચ્છા જ રળીયામણી હોય છે અને તેનાથી પણ વધારે સુંદર પળ તે હોય છે જ્યારે બે પ્રેમિઓ હંમેશા માટે એક બંધનમાં બંધાઇ રહ્યા હોય. જ્યાં કોઇ અંતર નથી રહેતું, અને નથી રહેતી કોઇ મજબૂરી. બસ કંઇ રહે છે તો તે છે અગણિત સપનાઓ.
જો આપ પણ આવા સુંદર બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા હોવ તો અમે આપને જણાવી રહ્યા છીએ ભારતના બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન. જ્યાં આપ માત્ર આપના લગ્નને રોમાંટિક બનાવશો પરંતુ દરેકના મોઢે છવાઇ પણ જશો. તો મિત્રો તૈયાર થઇ જાવ આ રોમાંટિક ડેસ્ટિનેશન અંગે જાણવા માટે અત્રે આપ આપના લગ્નને ખૂબ જ રોમાંચક બનાવી શકો છો.
આવો જોઇએ ભારતમાં આવેલા પાંચ શાનદાર વેડિંગ ડેસ્ટિનેશન...
ગોવા
હનીમૂન હોય કે બેચલર પાર્ટી, ફેમિલી સાથે ફરવાની વાત આવે તો દરેક યુવાનોની ઇચ્છા હોય છે કે ગોવા ફરવા જવું. તો પછી ગોવા વેડિંગ ડેસ્ટિનેશનમાં કેવી રીતે પાછળ રહી શકે છે. આપે ફિલ્મોમાં ઘણા લગ્નોને અથવા પાર્ટીને જોઇ હશે જે ગોવા બીચ પર થઇ હોય, આપના લગ્ન પણ અહી કરો અને તેને એક યાદગાર પળ બનાવી દો.
ઉદયપુર
રાજસ્થાનનું શાહી શહેર ઉદયપુર આમતો હંમેશાથી પોતાના આકર્ષણો અને ઐતિહાસિક ધરોહરો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે ઉદયપુરનું નામ મોખરે આવે છે. જો આપ ઇચ્છતા હોવ કે આપના લગ્ન શાહી અંદાજમાં થાય તો આપ આપના લગ્ન ઉદયપુરમાં ગોઠવી શકો છો. અહીં આપને ઐતિહાસિક આબોહવા મળશે, અને રાજઘરાણા જેવા ઠાઠ મળશે.
કેરળ
શું આપે ક્યારેય એવી કલ્પના કરી છે કે આપના લગ્ન હાઉસ બોટ પર થાય, જ્યાં ચારેય તરફ પાણી પાણી જ હોય અને આપની નાવ ધીમી ગતિમાં તરતી જઇ રહી હોય. જો આપે એવું વિચાર્યું હોય તો એકદમ સાચુ વિચાર્યું છે. કેરળના હાઉસબોટમાં આપ આપનું આ સપનું પુરુ કરી શકો છો.
જોધપુર
જોધપુર રાજસ્થાનનું ગૌરવમયી શાહી શહેર છે, જે ઐતિહાસિક ક્રિયાઓથી ભરપુર છે. અત્રે એકથી ચડીયાતુ એક શાહી મહેલ છે, જેમાં 5 સ્ટાર હોટેલમાં ફેરવાઇ ચૂક્યા છે. અત્રે ઉમ્મેદ ભવન, મેહરાનગઢ વગેરે વિશાળ મહેલો છે. જો આપ પણ પોતાના લગ્ન અત્રે કરવા માંગતા હોવ તો બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં આવનારા મહેમાનો પણ વાહવાહ બોલી ઊઠશે.
અંદમાન અને નિકોબાર
આસમાની રંગનું પાણી, ચાંદી જેવી ચમકદાર રેત અને દૂર દૂર સુધી પાણી અને વૃક્ષો. આ દ્રશ્યો કોઇ સ્વપ્ન કરતા અલગ નથી. લગ્ન કરવા માટે કોઇ આદેશની જરૂરીયાત નથી. પરંતુ લગ્ન એવા હોય જે હંમેશા યાદ રાખવામાં આવે તે મહત્વની વાત છે. તો આ એક સુંદર પળ બની રહેશે આપના જીવનની કે આપ અને આપનો પાર્ટનર કૂદરતના ખોળામાં લગ્ન સૂત્રે બંધાશો.