પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનઃ દેવામાફી ન હોવો જોઈએ ચૂંટણી વચનોનો હિસ્સો
ચૂંટણી મોસમમાં દેશના દરેક રાજકીય દળોને ખેડૂતોની ચિંતા થવા લાગે છે. રાજકીય દળ ખેડૂતોને દેવામાફી કરવા અને એમએસપી વધારવાના લલચાવનારા વચનો આપતા જોવા મળે છે. ચૂંટણી રેલીઓથી લીને દરેક મંચ પર ખેડૂતોને દેવુ માફ કરીને તેમની મુશ્કેલીઓ ખતમ કરવાની વાત કરવામાં આવે છે. પરંતુ આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને હાલમાં મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરનારા રઘુરામ રાજનનું અલગ મંતવ્ય છે. તેમણે કહ્યુ છે કે કૃષિ દેવા માફી જેવા મુદ્દાઓને ચૂંટણી મુદ્દા ન બનાવવા જોઈએ.
આ પણ વાંચોઃ ઈશા-આનંદ પીરામલે આપ્યુ ભવ્ય રિસેપ્શન, દરેક ક્ષેત્રના દિગ્ગજો પહોંચ્યા

શું દેવામાફીથી સમસ્યાનુ નિરાકરણ થશે?
આરબીઆઈના પૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજન કહે છે કે આ કૃષિ ક્ષેત્રમાં લાંબા સમયથી કાયમ સમસ્યાનો ઉકેલ નથી. તેમણે કહ્યુ કે આવા પગલાંથી ખેતીમાં રોકાણ તો રોકાવા સાથે સાથે રાજ્યોની હાલત પણ ખરાબ થાય છે. પૂર્વ આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે તેમણે દેવામાફી રોકવા માટે ચૂંટણી કમિશનને પત્ર પણ લખીને યોગ્ પગલાં તેવાનો આગ્રહ કર્યો છે.

ચૂંટણી વચનોમાં શામેલ ન કરવુ જોઈએ દેવામાફી
રઘુરામ રાજને કહ્યુ કે ખેડૂતો અને ખેતીની સમસ્યા પર વાત કરવી બરાબર છે પરંતુ શું દેવામાફી યોગ્ય રીત છે. છેવટે તો અમુક જ ખેડૂતોને આવુ દેવુ મળી શકે છે. રઘુરામ રાજને એક રિપોર્ટ જાહેર કરીને કહ્યુ કે છેલ્લા પંચ વર્ષમાં થયેલી દરેક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈને કોઈ પાર્ટીએ દેવામાફીનું વચન આપ્યુ. હાલમાં જ અમુક રાજકીય દળોએ દળોએ દેવુ માફ કરવા અને પાકના લઘુત્તમ ટેકાનું મૂલ્ય વધારવા માટે વચન પણ આપ્યુ હતુ.

સારા સંપર્કોવાળાને હંમેશા મળે છે દેવુ
રઘુરામ રાજને કહ્યુ કે દેવામાફીનો લાભ હંમેશા એ લોકોને મળે છે જેના સારા સંપર્કો હોય છે. રાજને કહ્યુ કે આપણે એવો માહોલ બનાવવાની જરૂર છે જેમાં ખેડૂત એક વાઈબ્રન્ટ ફોર્સ હોય જેના માટે આપણે વધુ સંશાધનોની જરૂર છે. તેમણે કહ્યુ કે બધા દળો દ્વારા સંમતિ દર્શાવવાથી તે દેશહિતમાં રહેશે.



Click it and Unblock the Notifications
