રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર - પોતાના દેશવાસીઓને જોખમમાં મૂકીને શું વેક્સીનની નિકાસ યોગ્ય છે?

વેક્સીનની કમી પર વિપક્ષે સરકાર પર પ્રહાર કરવાનુ શરૂ કરી દીધુ છે.

નવી દિલ્લીઃ દેશમાં વધતા કોરોના કેસો વચ્ચે ઘણા રાજ્યોની કમીના સમાચારો સામે આવી રહ્યા છે પરંતુ સરકાર તરફથી વેક્સીનની કમીના દાવાને ફગાવવામાં આવી રહ્યા છે. વળી, આ દરમિયાન વેક્સીનની કમી પર વિપક્ષે સરકાર પર પ્રહાર કરવાનુ શરૂ કરી દીધુ છે. શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે દેશમાં વધતા કોરોના સંકટ વચ્ચે વેક્સીનની કમી એક અતિ ગંભીર સમસ્યા છે કોઈ 'ઉત્સવ' નથી.

rahul gandhi

વેક્સીનની નિકાસ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીએ વેક્સીનની નિકાસ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે દેશમાં એક તરફ વેક્સીનની કમી થઈ રહી છે જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દેશવાસીઓના જીવ જોખમમાં મૂકીને વેક્સીન નિકાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ શાસિત રાજ્યો સાથે ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર બધા રાજ્યોને કોઈ પક્ષપાત વિના મદદ કરે, આપણે સૌ મળીને જ આ મહામારીને હરાવી શકીએ છીએ.

આ રાજ્યોમાં વેક્સીનની કમીનો દાવો

તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં રાજસ્થાન, પંજાબ, ઓરિસ્સા અને હવે મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ વેક્સીનની કમીની ફરિયાદ કરી છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને વેક્સીન માટે કહ્યુ છે કે દેશમાં વેક્સીનની કોઈ કમી નથી. ડૉક્ટર હર્ષવર્ધને વેક્સીન માટે કહ્યુ છે કે કોરોના વેક્સીનનો 9 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. રાજ્યો પાસે 4.3 કરોડનો સ્ટૉક છે. કમીનો સવાલ જ ક્યાં ઉઠે છે? અમે નિરંતર નિરીક્ષણ રાખી રહ્યા છે અને પુરવઠો વધારી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X