જ્યોતિષ મુજબ જાણો PM નરેન્દ્ર મોદીનું આ વર્ષ કેવું રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આવનારું વર્ષ કેવું રહેશે જાણો અહીં.
(પં. અનુજ કે શુક્લ) ચુંબકીય વ્યક્તિત્વ, ગજબની કોમન સેન્સ અને કઠોર શ્રમથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવાનો કૃતસંકલ્પ રાખનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મુખર્જી ભારતને આર્થિક રૂપે સમુદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે પ્રયાસરત છે. વિરોધ તેનો જ થાય છે જે વિકાસ કરે છે. જ્યાં વિકાસ નથી ત્યાં વિરોધ થતો નથી. ત્યારે આજે જ્યારે નવ વર્ષનું આગમન થઇ ગયું છે. ત્યારે દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી માટે વર્ષ 2016-2017 કેવું રહેશે જ્યોતિષ અને તેના ગ્રહોની દશા મુજબ શું છે તેમને ભવિષ્ય તે વિષે અહીં જાણો.
નોંધનીય છે કે મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950માં સવારે 11 વાગે સવારે ગુજરાતમાં થયો હતો. તેમની વૃશ્ચિક રાશિ છે જેનો સ્વામી મંગળ હાલ ખૂબ જ મજબૂત અવસ્થામાં છે. વર્ષ 2016ના અંકોને જોડેને અંક 09 આવશે જેનો સ્વામી પણ મંગળ જ છે. જે એક શુભ સંકેત છે. ત્યારે તેમનો સમય આવનારા સમયમાં કેવા રહેશે તે વિષે વધુ જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં....
2016માં મોદીનું ભવિષ્ય
વર્ષની શરૂઆતમાં 28 ફેબ્રુઆરી સુધી ચંદ્રમામાં ગુરુની દશા અને રાહુનું અંતર છે. આ સમયે વિદેશથી સંબંધ સારા બનશે પણ પાર્ટીની ગતિવિધિઓ અને પોતાના લોકોના ષડયંત્રથી નરેન્દ્ર મોદી ખૂબ જ વ્યથિત રહેશે.
2016માં મોદીનું ભવિષ્ય
6 જાન્યુઆરીએ રાહુમાં શનિનો પ્રવેશ થશે જે ત્યાં 18 જાન્યુઆરી સુધી રહેશે. આ કાર્યકાલ મોદી માટે તનાવ ભર્યો રહેશે. રાહુ તેમના મનમાં ઉથલ પથલ ચલાવશે.
2016માં મોદીનું ભવિષ્ય
વિપક્ષના કહેવા મુજબ મોદી વિદેશ યાત્રાઓ ખૂબ જ કરે છે પણ તે લોકોએ વાતથી અજાણ છે કે વિદેશી રોકાણ વગર ભારતને આર્થિક રીતે સદ્ધર બનાવવું મુશ્કેલ છે. મોદીની કુંડળીમાં યાત્રાનું કારક છે ચંદ્રમાં જે તેમના લગ્ન સાથે બેઠો છે. માટે આ વર્ષે થનારી વિદેશ યાત્રા ભારતમાં રોકાણ વધારશે અને ભારત માટે લાભપ્રદ રહેશે.
2016માં મોદીનું ભવિષ્ય
વૈશ્વિક રાજનીતીનું કારણ શનિ ગ્રહ છે. મોદીની કુંડળીમાં તૃતીયેશ અને ચતુર્થેશ થઇને દશમા ભાવમાં પોતાના મિત્ર શુક્ર સાથે બેઠો છે. શનિની સારી સ્થિતી મોદીને કુશળ રાજનીતિ આપશે જેનાથી વૈશ્વિક રાજનિતીમાં તેમનું પદ વધશે. જેથી તે વિકસિત દેશો સાથે વેપારી સંબંધ બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવશે.
2016માં મોદીનું ભવિષ્ય
વર્તમાનમાં મોદીની કુંડળીમાં ચંદ્રમાની દશામાં શનિનું અંતર અને શનિનું પ્રત્યન્તર 28 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. આ સ્થિતિ અનૂકૂળ નથી. વિરોધીઓ મોદીની છબીને બગાડવાનો પ્રયાસ કરશે. અને મોદીની મહત્વપૂર્ણ નીતિઓમાં બાધા નાખશે. પણ છેલ્લે મોદીને જ સફળતા મળશે.
2016માં મોદીનું ભવિષ્ય
શનિના કાર્યકાળમાં મોદી તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરશે અને કેટલાક ખાતા તે પોતાની પાસે રાખશે. જેના દૂરગામી પરિણામ લાભકારી રહેશે. પોતાની ચહિતાને બચાવવાના ચક્કરમાં મોદીને અપમાન સહેવાનો વારો આવશે.
2016માં મોદીનું ભવિષ્ય
29 મેથી 19 ઓગસ્ટ દરમિયાન ચંદ્રની મહાદશામાં શતિના અન્તર અને બુધના પ્રત્યન્તર. તથા બૃધ અષ્ટમેશ અને લાભેશ થઇને લાભ ભાવમાં સૂર્ય સાથે બેસસે. જેનાથી મોદીને લાભ થશે. બુધ રોકાણ, અર્થવ્યવસ્થામાં વધારો કરશે અને મોંધવારી પર નિયંત્રણ લાવશે. વિદેશોમાં વ્યાપક રૂપમાં બિઝનેસ ડિલ થશે.
2016માં મોદીનું ભવિષ્ય
19 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી ચંદ્રની મહાદશા ચાલશે. કેતુ તમારી પદવીમાં લાભ ભાવમાં સૂર્ય અને બુધ સાથે સ્થિત છે. કેતુ સૂર્યના નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુનીમાં છે. જે સમયે વિદેશી ષડંયત્રનો શિકાર થશે. માટે સાવધાની રાખવી પડશે. તમારી નીતીઓનું ગુણગાન ભારતની જનતા કરશે.
2016માં મોદીનું ભવિષ્ય
22 સપ્ટેમ્બર થી 27 ડિસેમ્બર પરિવર્તનનો સમય રહેશે. મોદી કંઇક તેવા કાર્ય કરશે જેનાથી દુનિયા ચકિત થઇ જશે. પડોશી દેશોનો સહયોગ તમને સક્રિય રૂપે નજરે પડશે. આ સમયે ભારતમાં કેટલીક તેવી ધટનાઓ થશે જ્યારે ત્વરિત નિર્ણય લેવાનો વારો આવશે અને તમારા વ્યક્તિત્વની પરીક્ષા થશે.
2016માં મોદીનું ભવિષ્ય
કુલ મળીને વર્ષ 2016 મોદી માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ લઇને આપશે પણ મોદી પોતાના અદમ્ય સહાસથી આ તમામ મુશ્કેલીઓનો સામનો કરશે અને વિશ્વમાં એક પ્રતિભાવાન નેતાના રૂપમાં બહાર આવશે. આ વર્ષ મોદીની કુશળ નીતિઓ અને મહેનતના કારણ ભારતને સંયુક્ત રાષ્ટ્રસંધની સ્થાઇ સદસ્યતા પણ અપાવી શકે છે. જેટલી મુશ્કેલ સ્થિતિ પેદા થશે તેટલું જ મોટું કદ મોદીનું થશે. જે મોદીના વ્યક્તિત્વનો ખાસ ગુણ છે.