તમારી જન્મ તારીખ પ્રમાણે કયા ઇષ્ટદેવનું પૂજન કરશો?
આપણો જન્મ જે સમયે, જે ઘડીએ અને જે તારીખ થાય છે તે આંકડા આપણા આખા જીવન દરમિયાન આપણા માટે મહત્વપૂર્ણ બની જાય છે. એટલું જ નહીં,આપણા ભૂત, વર્તમાન અને ભવિષ્ય પર આપણા જન્મ તારીખના આંકડાની અસર થાય છે. માટે જ ન્યૂમેરોલોજીમાં જન્મ તારીખનું ખૂબ જ મહત્વ છે.
તમારી જન્મ રાશિ મુજબ તમારા માટે કયો આંક શુભ છે તે જાણી શકાય છે. અને આ દ્વારા તમે તમારું જીવન મંગળમય બનાવી શકો. વધુમાં તમારા માટે કયો નંબર લકી છે તે પણ ન્યૂમેરોલોજી દ્વારા જાણી શકાય છે.
માટે જ આજે અમે તમારી જન્મ તારીખ મુજબ તમારે કયા ઇષ્ટદેવનું પૂજન કરવું તે જાણકારી લઇને આવ્યા છે. તમારી જન્મતારીખ મુજબ જે તે ઇષ્ટદેવનું પૂજન કરવાની તમારા કષ્ટો ઓછા થઇ શકે છે. તો આ ફોટાસ્લાઇડર જોતા રહો અને જાણો તમારી જન્મતારીખ મુજબ કોણ છે તમારો ઇષ્ટદેવ...
1,10,19 કે 28
જો તમારી જન્મ તારીખ 1,10,19 કે 28માંથી કોઇ એક છે તો તમારે સૂર્ય દેવની પૂજા કરવી જોઇએ.
2,11,20 કે 29
જો તમારી જન્મ તારીખનો આંકડા 2,11,20 કે 29 છે તો તમારે શંકર ભગવાનની પૂજા કરવી જોઇએ.
3,12,21 કે 30
જો તમારી જન્મ તારીખ 3,12,21 કે 30માંથી કોઇ એક છે તો તમારે ગણપતિજીની પૂજા અર્ચના કરવી જોઇએ.
4,13,22 કે 31
જો તમારો જન્મ આ ઉપરોક્ત તારીખોમાં થયો હોય તો તમારે સૂર્ય દેવની પૂજા કરવી જોઇએ.
5,14 કે 23
જો તમારો જન્મ 5,14 કે 23 તારીખમાં થયો હોય તો તમારે વિષ્ણુની પૂજા કરવી જોઇએ.
6,15 કે 24
જો તમારી જન્મ તિથિ 6,15 કે 24 હોય તો તમારે લક્ષ્મીજીની પૂજા કરવી જોઇએ જેથી તમારો શુક્ર બળવાન બને.
7,16 કે 25
7,16 કે 25 તારીખે જન્મેલા લોકોએ શિવ-પાર્વતીનું પૂજન કરવું જોઇએ.
8,17 કે 26
જો તમારો જન્મ 8,17 કે 26 તારીખ હોય તો તમારે શનિ મહારાજની અને કાલભૈરવની પૂજા કરવી જોઇએ.
9,18 કે 27
જો તમારી જન્મ તારીખ 9,18 કે 17માંથી કોઇ એક હોય તો તમારે હનુમાનજીની પૂજા કરવી જોઇએ.