Astro Tips: તણાવ દૂર કરવાના ઘરેલુ ઉપાય
આજકાલની ભાગદોડ, સતત હરિફાઈ, અને નાના નાના સપના પૂરા કરવાની દોડમાં કયો મનુષ્ય તણાવથી દૂર છે. આપણી આસપાસ લોકો ઘરના તણાવમાં, ઓફીસના તણાવમાં તો વળી ક્યારેક સંબંધોના તણાવમાં ફસાયેલા જોવા મળે છે. અને આ તણાવને દૂર કરવા માટે વિવિધ દવાઓ સહિત અનેક ઉપાયો પણ કરે છે.
જી હા, વિવિધ તણાવોના કારણે ક્યારેક મનુષ્ય ચિડીયો થઈ જાય છે, ક્યારેક સંબંધો બગાડી બેસે છે, તો ક્યારેક ડીપ્રેશનનો શિકાર પણ બને છે.
તણાવને દૂર કરવાના અનેક ઉપાયો છે, જેમકે યોગાસન, ધ્યાન, તંદુરસ્ત જીવન, વ્યાયામ વગેરે. તો વળી વાસ્તુ એક્સપર્ટ્સ તણાવને દૂર કરવા માટે અનેક ટીપ્સ આપે છે. આજે અમે અહીં તમને તણાવ દૂર કરવાની કેટલીક જ્યોતિષ ટીપ્સ આપી રહ્યા છે. આ એસ્ટ્રો ટીપ્સ તમને તણાવ દૂર રાખવામાં મદદરૂપ બની શકશે.
એઠા વાસણો
રસોઈ ઘરમાં રાત્રે એઠા વાસણો ન રાખવા જોઈએ.
સ્નાન અને જમવાનો સમય
સંધ્યાકાળે ભોજન અને સ્નાન બંને ટાળવાની કોશિષ કરો.
ચાંદી કે તાંબાના ગ્લાસમાં પાણીનું સેવન
દિવસમાં બેથી ત્રણ વાર ચાંદી કે તાંબાના ગ્લાસમાં સેવન કરવાની કોશિષ કરો.
ધુમ્રપાન અને મદિરા સેવન
શયનકક્ષમાં ધુમ્રપાન અને મદિરાનું સેવન કરવાથી તણાવમાં વધારો થાય છે.
કાંટાળા છોડ
ઘરના બગીચા અથવા તો બાલ્કનીમાં કાંટાળા છોડ ન રાખવા જોઈએ.
અગ્નિ અને પાણીની સ્થિતિ
રસોઈઘરમાં અગ્નિ અને પાણીને એકસાથે ન રાખવા જોઈએ.
જમતા પહેલા ચોખ્ખાઇ
ભોજન કરતા પહેલા સારી રીતે હાથ-પગ ધોઇ લેવા જોઇએ. તેમજ ભોજન જમીન પર બેસીને કરવુ જોઇએ.
રસોડાના ટાઇલ્સ
ઘરમાં ખાસ કરીને રસોડાની ટાઇલ્સ કાળી નહોવી જોઈએ.
ઘરની સફાઇ
ઘરમાં ક્યાક પણ કરોળિયાના જાળા ન હોવા જોઇએ. ઘરમાં જાળા તણાવની સ્થિતિ ઉભી કરે છે.
પૂજન-અર્ચન
સંધ્યાકાળે ઘરમાં આરતી અવશ્ય કરવી જોઇએ કે જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.
પથારી
પથારીવશ બિમારી સિવાય ભોજન ક્યારેય પણ પથારી પર ન લેવું જોઇએ.