શું રાણી ફરી બનશે રાજસ્થાનની મહારાણી, શું કહે છે વસુંધરા રાજેની કુંડળી?
આજે હું જ્યોતિષ વિવેચનના આધારે ચકાસીશ કે રાજસ્થાનમાં વસુંધરા રાજે ફરી રાજ્યની કમાન સંભાળશે કે પછી અશોક ગેહલોત અથવા સચિન પાયલટને સત્તાની ચાવી મળશે, ચાલો જાણીએ કે તેમની કંડળી શું કહે છે?
આજે હું જ્યોતિષ વિવેચનના આધારે ચકાસીશ કે રાજસ્થાનમાં વસુંધરા રાજે ફરી રાજ્યની કમાન સંભાળશે કે પછી અશોક ગેહલોત અથવા સચિન પાયલટને સત્તાની ચાવી મળશે, ચાલો જાણીએ કે તેમની કંડળી શું કહે છે?
આ પણ વાંચો: શું શિવરાજ હજી કરશે મધ્યપ્રદેશ પર રાજ કે મળશે વનવાસ, શું કહે છે કુંડળી?
શું કહે છે વસુંધરા રાજે સિંધિયાના ગ્રહો?
રાજસ્થાનના વર્તમાન સીએમ વસુંધરા રાજે સિંધિયાની કુંડળીમાં હાલ રાહુની દશામાં રાહુનું અંતર અને ગુરુનું પ્રત્યંતર ચાલી રહ્યું છે. રાહુ તેમના ભાગ્યમાં બેસીને પંચમ દ્રષ્ટિથી લગ્નને જોઈ રહ્યો છે. એટલે સમય ચિંતાગ્રસ્ત રહેશે, અને નવમી દ્રષ્ટિથી જનતાને સાંકેતિક ભાવથી પંચમને જોઈ રહ્યો છે. જેને કારણે તેમની લોકપ્રિયતા ઘટી શખે છે. તો ગુરુ અષ્ટમેશ થઈને બારમા ભાવમાં બેસીને અશુભ ફળ આપશે. એટલે કે વસુંધરા રાજેનું બીજી વાર સીએમ બનવું મુશ્કેલ છે.
શું કહે છે અશોક ગેહલોતની કુંડળી?
પૂર્વ સીએમ અશોક ગેહલોતની કુંડળીમાં હાલ મંગળની દશા ચાલી રહી છે, અને 6 ડિસેમ્બરથી સૂર્યની અંતર દશા પ્રારંભ થશે. મંગળ લાભેશ થઈને લાભ ભાવમાં બેસીને સપ્તમ નજરથી પંચમ ભાવને જોઈ રહ્યો છે. સૂર્ય ત્રુતીયેશ હોઈને લાભ પર કબજો જમાવી પંચમ ભાવને જોઈ રહ્યો છે. સૂર્ય અને મંગળની જનતા પર સાંકેતિક ભાવથી દ્રષ્ટિ પડી રહી છે.
ગેહલોત માટે શુભ સંકેત
ઓક્ટોબરથી ગુરુ વ્રુશ્વિક રાશિમાં ગોચર કરશે, જે તેમના છઠ્ઠા ભાવમાં રહે શે, જેની પંચમ દ્રષ્ટિ સત્તાના કારક દશમ ભાવ પર પડી રહી છે. આ એક શુભ સંકેત છે. તેમના માટે અંક 8 પણ વિશેષ ફળદાયી છે. કારણ કતેઓ પહેલીવાર 1998માં જ સીએમ બન્યા હતા, તો વર્ષ 2008માં સીએમ બન્યા. આ વર્ષે પણ 2018નો અંતિમ અંક 8 છે. આ તમામ કારમોને જતા એવું લાગે છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહેશે. ભાજપને 80થી 85 બેઠક મળી શખે છે. તો કોંગ્રેસ 110 બેઠક પ્રાપ્ત કરીને સરકાર બનાવવામાં સફળ થશે.
સચિન પાયલટ કે અશોક ગેહલોત?
હવે સવાલ એ છે કે સચિન પાયલટ અને અશોક ગેહલોતમાંથી કોણ સીએમ બનશે? બંને વચ્ચે કાંટાની ટક્કર થશે. જો કે અશોક ગેહલોતના સીએમ બનવાની શક્યતા વધુ છે.