જ્યોતિષ ટિપ્સ: કંઇ રીતે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ કે પતિ-પત્ની વચ્ચેના સંબંધ જાળવશો?
શું તમારા અને તમારા પતિ કે બોયફ્રેન્ડ વચ્ચે મનમોટાવ અને ઝગડા થાય છે? શું તમે આ બધા બાદ પણ તેની સાથે રહેવા માંગો છો. અને બનતા પ્રયાસો કરવા છતાં તમારી વચ્ચે કંઇ સારા સંબંધો નથી જળવાઇ રહ્યા?
જો આવું હોય તો અમે આજે તમારી માટે કેટલીક જ્યોતિષ ટિપ્સ લઇને આવ્યા છે. જે પતિ-પત્ની કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વચ્ચે થયેલા વિવાદ અને તનાવને દૂર કરવામાં અને સંબંધોને સુમેળ અને સુમધર કરવામાં તમને સહાયરૂપ સાબિત થઇ શકે છે.
તો જો તમે ખરેખરમાં તમારા સંબંધનો એક મોકો આપવા ઇચ્છતા હોવ અને તમે એકબીજામાં માટે કંઇક કરવા ઇચ્છુક હોવ તો નીચેની એસ્ટ્રો ટિપ્સ અપવાનીને જોઇ શકો છો. જુઓ આ ફોટોસ્લાઇડર..
જેમ છો તેમ
સૌથી પહેલા તો તમારે તમારા જીવનસાથીને તે જેવો છે તેવો અપનાવાનો પ્રયાસ કરવો જોઇએ. અને તેના રંગમાં અને તેને અનુરૂપ થઇને રહેવું જોઇએ.
ગણેશજી
બુધવારે ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાની વ્યક્તિનું મન શાંત થાય છે અને તેના વિચારોમાં સકારાત્મકતા આવે છે.
મહિલા
મહિલાઓએ ભગવાન રામ અને સીતાના ફોટાને સામે રાખીને હનુમાનજીની આરાધના કરવી જોઇએ જેથી સંબંધોમાં મધુરતા આવે.
પુરુષ
પુરુષોએ શંકર અને પાર્વતીના ફોટોને સામે રાખી વિધિવત આરાધના કરવી જોઇએ
ઝગડો
જો તમારી વચ્ચે નાની નાની વાતે ઝગડો થતો હોય તો તમારે બન્નેએ મંગળવારનો ઉપવાસ કરવો જોઇએ. અને ગરીબોને મીઠાશનું દાન કરવું જોઇએ.
જૂઠ
જો તમારા બન્નેમાંથી કોઇ એક વારંવાર ખોટું બોલતું હોય તો શનિવારના દિવસે શનિ મંદિરમાં તેના હાથોથી તેલ અને કાળા તલ શનિ મહારાજ પર ચઢાવવા જોઇએ.
19 શનિવાર
ઉપરોક્ત રીતે 19 શનિવાર સુધી શનિ દેવને તેલ અને કાળા તલ ચઢાવાથી વ્યક્તિના સ્વભાવમાં ફરક આવશે.
લાલ વસ્તુઓ
જો તમે એકબીજાના જીવનમાં મધુરતા ઇચ્છો છો તો તમે દર રવિવારે એકબીજાને લાલ વસ્તુઓની ભેટ આપો.