સુખી જીવન, પૈસો અને પ્રેમ બધુ જ મળી શકે છે, અજમાવો ઈલાયચીના આ ટોટકા...
દુર્ગંધ નાશક, સુપાચ્ય, વાયુનાશક, લીલા અને કાળા રંગમાં મળતી ઈલાયચી ગુણોનો ખનાજો છે. તેને સાત્વિક, તામસી અને રાજશીક ત્રણે કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે.
દુર્ગંધ નાશક, સુપાચ્ય, વાયુનાશક, લીલા અને કાળા રંગમાં મળતી ઈલાયચી ગુણોનો ખનાજો છે. તેને સાત્વિક, તામસી અને રાજશીક ત્રણે કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. ઈલાયચી બીજી પણ અનેક મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ ઈલાયચીનો ઉપયોગ ક્યાં ક્યાં કરવો જોઈએ. કાર્યોની સિદ્ધિ માટે બુધવારના દિવસે પાંચ ઈલાયચી ગણપતિને અર્પિત કરો અને ત્યારબાદ આ ઈલાયચી તમારી સાથે રાખો. આમ કરવાથી તમે દરેક કાર્યોમાં સફળતા મેળવી શકશો.
પતિનો પ્રેમ મેળવવા
જો કોઈ સ્ત્રીનો પતિ તેને પ્રેમ ન કરતો હોય, તેની વાત ન માનતો હોય તો શુક્લ પક્ષના પહેલા શુક્રવારે 3 ઈલાયચી લઈ પત્ની પોતાના શરીરના એવા સ્થાને રાખે જ્યાંથી પરસેવો આવતો હોય. ત્યારબાદ શનિવારે આ ઈલાયચી પોતાના પતિને ખવડાવી દે. આ ઉપાય સતત 5 શુક્રવાર કરવાથી પતિ પોતાની પત્નીથી પ્રેમ કરવા લાગે છે.
ધન લાભ માટે
ચપટી હિંગ પોતાના ઉપરથી ઉતારી ઉત્તર દિશામાં ફેંકી દો. સવારે 3 ઈલાયચીને જમણા હાથમાં લઈ 'શ્રી' બોલી ખાઈ લો, ત્યારબાદ ઘરેથી નીકળો. આવું સતત એક મહિના સુધી કરવાથી આર્થિક સ્થિતિ સારી થઈ જશે.
પરીક્ષામાં સફળતા
કોઈ શુભ મુહૂર્તથી ગુરુવારે 5 મિઠાઈ અને 2 ઈલાયચી લઈ પીપળાના ઝાડ નીચે ચઢાવો. આવુ સતત 7 ગુરુવારે કરો અને સાથે જ સરસ્વતી મંત્રનો જાપ કરો તો જરૂર પરિક્ષામાં સફળતા મેળવશો.
શીઘ્ર વિવાહ
શુક્લ પક્ષના પહેલા ગુરુવારની સાંજે 5 પ્રકારની મિઠાઈ, લીલી ઈલાયચીની જોડ પીપળાના ઝાડ નીચે ચઢાવો અને સાથે શુદ્ધ ઘીનો દિપક જલાવ