Chaitra Navratri 2022: રેવતી નક્ષત્રમાં નવરાત્રિનો પ્રારંભ આપશે સુખ-સમૃદ્ધિ, જાણો ઘટ સ્થાપનાના મુહૂર્ત
ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ, 2022 શનિવારે રેવતી નક્ષત્રમાં થઈ રહ્યો છે. જાણો ઘટ સ્થાપનાના મુહૂર્ત
નવી દિલ્લીઃ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ, 2022 શનિવારે રેવતી નક્ષત્રમાં થઈ રહ્યો છે. આ નક્ષત્રના સ્વામી બુધ છે જે વેપાર-વ્યવસાયમાં વૃદ્ધિ અને સુખ-સમૃદ્ધિ આપશે માટે નવરાત્રિમાં ભૂમિ, ભવન, સંપત્તિ, વાહન વગેરેની ખરીદી કરવાનુ શુભ રહેશે. બુધના નક્ષત્રનુ જ્ઞાન, બુદ્ધિ, વિવેકમાં પણ વૃદ્ધિ કરશે. માટે નવરાત્રિ પૂજન ફળદાયી રહેશે. આ નક્ષત્રમાં ઘટ સ્થાપના કરવી સફળતા અને સિદ્ધિદાયક રહેશે.
ઘટ સ્થાપનના મુહૂર્ત
ચોઘડિયા મુજબ
શુભ
-
પ્રાતઃ
7.52થી
9.25
ચર
-
બપોરેઃ
12.30થી
2.03
લાભ
-
સાંજે
6.41થી
8.08
અભિજિત
મુહૂર્ત
-
બપોરેઃ
12.06થી
12.55
લગ્ન મુજબ
વૃષભ
-
પ્રાતઃ
8.43થી
10.42
સિંહ
-
બપોરે
3.11થી
5.21
તમને જણાવી દઈએ કે મા જગદંબાની ઉપાસનાના પર્વ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ 2022ના રોજ શનિવારે એંન્દ્ર યોગ અને રેવતી નક્ષત્રમાં થશે. આને વાસંતિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દિવસથી હિંદુ નવવર્ષ વિક્રમ સંવત 2079ના પણ શ્રીગણેશ થશે. આ વખતે નવરાત્રિ પૂરા નવ દિવસ રહેશે અને રોજ માતાના અલગ-અલગ સ્વરુપોની આરાધના કરવામાં આવશે. આ વખતે નવરાત્રિમાં અનેક મંગળકારી સંયોગ પણ બની રહ્યા છે જેમાં અનેક વ્રત-તહેવાર, પર્વ મનાવવામાં આવશે.