For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chaitra Navratri 2022: રેવતી નક્ષત્રમાં નવરાત્રિનો પ્રારંભ આપશે સુખ-સમૃદ્ધિ, જાણો ઘટ સ્થાપનાના મુહૂર્ત

ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ, 2022 શનિવારે રેવતી નક્ષત્રમાં થઈ રહ્યો છે. જાણો ઘટ સ્થાપનાના મુહૂર્ત

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ, 2022 શનિવારે રેવતી નક્ષત્રમાં થઈ રહ્યો છે. આ નક્ષત્રના સ્વામી બુધ છે જે વેપાર-વ્યવસાયમાં વૃદ્ધિ અને સુખ-સમૃદ્ધિ આપશે માટે નવરાત્રિમાં ભૂમિ, ભવન, સંપત્તિ, વાહન વગેરેની ખરીદી કરવાનુ શુભ રહેશે. બુધના નક્ષત્રનુ જ્ઞાન, બુદ્ધિ, વિવેકમાં પણ વૃદ્ધિ કરશે. માટે નવરાત્રિ પૂજન ફળદાયી રહેશે. આ નક્ષત્રમાં ઘટ સ્થાપના કરવી સફળતા અને સિદ્ધિદાયક રહેશે.

maa

ઘટ સ્થાપનના મુહૂર્ત

ચોઘડિયા મુજબ

શુભ - પ્રાતઃ 7.52થી 9.25
ચર - બપોરેઃ 12.30થી 2.03
લાભ - સાંજે 6.41થી 8.08
અભિજિત મુહૂર્ત - બપોરેઃ 12.06થી 12.55

લગ્ન મુજબ

વૃષભ - પ્રાતઃ 8.43થી 10.42
સિંહ - બપોરે 3.11થી 5.21

તમને જણાવી દઈએ કે મા જગદંબાની ઉપાસનાના પર્વ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ 2022ના રોજ શનિવારે એંન્દ્ર યોગ અને રેવતી નક્ષત્રમાં થશે. આને વાસંતિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દિવસથી હિંદુ નવવર્ષ વિક્રમ સંવત 2079ના પણ શ્રીગણેશ થશે. આ વખતે નવરાત્રિ પૂરા નવ દિવસ રહેશે અને રોજ માતાના અલગ-અલગ સ્વરુપોની આરાધના કરવામાં આવશે. આ વખતે નવરાત્રિમાં અનેક મંગળકારી સંયોગ પણ બની રહ્યા છે જેમાં અનેક વ્રત-તહેવાર, પર્વ મનાવવામાં આવશે.

English summary
Chaitra Navratri 2022 will starts on 2nd April. Revathi Nakshatra will give happiness and prosperity. Know muhurt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X