ઉત્તમ યાદશક્તિના માલિક હોય છે કર્ક રાશિના બાળકો !
કર્ક રાશિના બાળકનો મુડ વારંવાર બદલાયા કરે છે. આ બાળક લાગણીશીલ હોય છે, જેથી તેના માતા-પિતાએ તેનું ખાસ ધ્યાન આપવું. વધુ વાંચો અહીં..
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક દુનિયામાં નામના મેળવે, જીવનના ઉચ્ચ શિખરો હાંસલ કરે. જો કે સંતાનનું ભવિષ્ય માતા-પિતાના હાથમાં નથી. આગળ ચાલી તે શું કરશે તેનું અનુમાન અત્યારથી લગાવવું મુશ્કેલ છે. માતા-પિતા તેને સારુ ભણતર, સારા સંસ્કાર, કાળજી, ભૌતિક સુખ-સુવિધા આપી શકે છે. પણ તેનું ભવિષ્ય બનાવવું તે જે તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. પોતાના સંતાનની ચિંતા કરનારા આવા માતા-પિતા માટે આજે અમે કેટલીક માહિતી લઈને આવ્યા છીએ જેને આધારે તમે જાણી શકશો કે તમારા બાળકની રાશિને આધારે તમારુ બાળક કેવું રહેશે, તેનો સ્વભાવ કેવો રહેશે, તેની શેમાં રૂચી રહેશે. એવું માનીએ કે આ માહિતી તેમના માતા-પિતાને તેમને ભરણપોષણમાં મદદરૂપ બને. તો આજે વાત કરીશું કર્ક રાશિના બાળકોની લાક્ષણિકતાઓ વિશે...જેમના બાળકો કર્ક રાશિના છે તેઓ જરૂરથી વાંચે આ આર્ટીકલ.
કર્ક
કર્ક રાશિના બાળકનો મુડ વારંવાર બદલાયા કરે છે. દર કલાકે તેમનો મુડ જુદો જુદો હોય છે. આ બાળક લાગણીશીલ હોય છે. જેથી તેના માતા-પિતાએ તેનું ખાસ ધ્યાન આપવું. તેને સ્વાદિષ્ટ ભોજન અને પીણા પસંદ છે. કર્ક રાશિના બાળકોને રંગો અને ચિત્રો આકર્ષે છે. તેમની યાદશક્તિ અદ્ભૂત હોય છે. તેઓ પોતાની વાત રડીને મનાવે છે. આ બાળકોને ગલે લગાવી, પ્રેમ આપી પ્રોત્સાહિત કરવા જોઈએ. જો કે આ રાશિના બાળકો તેમના પ્રારંભિક અવસ્થામાં ખૂબ આજ્ઞાકારી હોય છે અને આ લોકો તેમના ઘડપણમાં વિદ્રોહી થઈ શકે છે.
અત્યંત લાગણીશીલ
આ રાશિના બાળકો માટે કુટુંબ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા, પ્રેમ અને સ્નેહ તેમની પ્રાથમિક જરૂરિયાતો છે. તેમની આ જરૂરિયાતો તેમના માતા-પિતાએ પૂરી કરવી જોઈએ. તેમના કુટુંબના સભ્યો જેવો વ્યવહાર તેમની સાથે કરે છે તેને આધારે તેમની લાગણીઓમાં સ્થિરતા આવે છે.
વિશાળ કલ્પનાશક્તિ
કર્ક રાશિના બાળકોના વિચારો મુક્તપણે વહે છે તેમની કલ્પનાઓ વિશાળ છે. સામાન્ય રીતે તેઓ આજ્ઞાંકિત અને કુશળ હોય છે. તેમના માતા-પિતાએ તેમને સતત આશ્વાસન આપવું જોઈએ.
ક્યુટ બાળકો
કર્ક રાશિના બાળકો અત્યંત સુંદર હોય છે. તેઓ સંવેદનશીલ હોવાને કારણે અન્ય લોકોની દેખભાળ કરે છે. તેમનો સ્વભાવ શરમાળ હોય છે. તેઓ ઘર, પરિવાર અને માતા-પિતા સાથે જોડાયેલા હોય છે.
પોતાના સામાનની દેખભાળ
તેઓ ઘરમાં પોતાના સામાન અને રમકડાની દેખભાળ રાખે છે. અન્ય લોકો માટે તેમનો વ્યવહાર સારો હોય છે. આ રાશિના કેટલાક બાળકો સ્વાર્થી હોય છે. જ્યારે તેમની ઈચ્છા મુજબ ન થાય ત્યારે તેઓ નારાજ થઈ જાય છે.
રચનાત્મક
તેઓ અમુક ચોક્કસ વિષય પ્રત્યે પ્રોત્સાહિત થાય છે. તેઓ ખૂબ જ રચનાત્મક હોય છે. ખૂબ જ મહાત્વાકાંક્ષી હોવાને કારણે જ્યારે તેમને પ્રોત્સાહન મળે ત્યારે તેઓ પોતાના અંદરની કલા અને પ્રતિભાને દર્શાવે છે. અન્ય લોકો સામે પોતાની વસ્તુઓ શેયર કરવા તેઓ ટેવાયેલા હોય છે. જ્યારે તેમના કામમાં કોઈ અડચણ આવે છે ત્યારે તેઓ ખૂબ જ અસ્વસ્થ બની જાય છે.