જો તમારો જન્મ ગુરુવારે થયો છે જરૂર વાંચો આ વાતો
તમને તમારા જન્મનો દિવસ ખબર છે? જો તમે ગુરુવાર ના દિવસે જન્મ્યા હોવ તો આ આર્ટીકલ તમારા કામમાં ચોક્કસથી આવશે. કારણ કે જે જાતકો ગુરવારના દિવસે જન્મે છે તેમની પર્સનાલીટી કેવી હોય છે તે વિષે અમે આજે આ આર્ટીકલમાં જણાવાના છીએ. તો તમે બૃહસ્પતિના વાર ગણતા ગુરુવારના જન્મ્યા હોવ તો વાંચો આ આર્ટીકલ.
આમ તો હિંદુ ધર્મ મુજબ કોઇ પણ નવુ કાર્ય કરવા માટે ગુરુવારને ઉત્તમ ગણવામાં આવે છે. ખાસ કરીને તે કામ શિક્ષણને લગતું હોય તો ગુરુવારને શુભ માનવામાં આવે છે. ત્યારે અમારા જ્યોતિષ શ્રીમતી જ્તોતિમા શર્મા દ્વારા ગુરુવાર જન્મેલા લોકોના વ્યક્તિ વિશેષ ગુણોને જાણવા માટે વાંચો નીચેનો આ આર્ટીકલ...
મેધાવી, શાંત, સમજુ
ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ મેધાવી, શાંત અને સમજુ હોય છે. આ લોકો બધાને આદરભાવ આપે છે અને આજ કારણે અનેક લોકો તેમને પોતાનો આદર્શ ગણતા હોય છે.
ઊંચી પોસ્ટ પર
આ દિવસે જનમતા જાતકો સાફ અને સ્વચ્છ વિચારધારા ધરાવે છે. તેમનો લીડરશીપ ક્વોલિટી હોય છે. અને તે જે જગ્યાએ કામ કરે છે ત્યાં તે ઊંચી પોસ્ટ પર હોય છે.
મહેનતું
આવા લોકો ખૂબ જ મહેનતું હોય છે અને તમામ વસ્તુને પોતાના દમ પર મેળવે છે. જો કે તેમને બંધનમાં રહેવું નથી ગમતું. તે આઝાદ વિચારો વાળા હોય છે.
સાચા મિત્ર
આવા લોકો અન્ય પર જલ્દીથી ભરોસો મૂકી દે છે જેને કારણે કેટલીક વાર તેમને મુશ્કેલી વેઠવી પડે છે. પણ તે એક સારા મિત્ર હોય છે.
સ્ટ્રેટ ફોર્વર્ડ
આ લોકો સ્ટ્રેટ ફોર્વડ હોય છે અને સુંદરતાથી ખાસ આકર્ષાય છે. વળી તેમને પોતાને પણ સુંદર દેખાવું અને લોકોનું અટેન્શન મેળવવું ગમે છે.
પ્રેમવિવાહ
આ દિવસે જન્મેલા લોકો મોટે ભાગે પ્રેમવિવાહ કરે છે. અને સુખમય વૈવાહિક જીવન વીતાવે છે.
સ્વાસ્થય
સ્વાસ્થયની દ્રષ્ટ્રિએ ગુરુવારે જન્મેલા લોકો સામાન્ય રીતે નાની મોટી બિમારીઓથી ગસ્ત રહે છે. પેટ અને શરદીના રોગોથી પીડાય છે.
ખર્ચેલા
વળી ગુરુવારે જન્મેલા લોકો પૈસા પણ ખૂબ જ ખર્ચે છે. અને મન ખોલીને પૈસા ખર્ચવામાં માને છે.