
ગ્રહોના અશુભ પરિણામોથી બચવા દિવસો પ્રમાણે આ વસ્તુઓ ન ખાઓ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આપણી દિનચર્યા વ્યક્તિની ગ્રહ સ્થિતિને અસર કરે છે. તેથી જ જ્યોતિષમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અનુસરીને આપણે ગ્રહોના અશુભ પરિણામોથી પોતાને બચાવી શકીએ છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિએ દિવસ પ્રમાણે અમુક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી ગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે.

સોમવાર -
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર ભગવાન શિવની સાથે ચંદ્રનો પણ દિવસ છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવાથી વ્યક્તિનીકુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી બને છે. આ દિવસે ખાંડનું સેવન પ્રતિબંધિત છે

મંગળવાર -
કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત રાખવા માટે ઘીનું સેવન અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, બળવાન મંગળવ્યક્તિને હિંમતવાન, શકિતશાળી અને નિર્ભય બનાવે છે. તેથી આ દિવસે બને ત્યાં સુધી ઘીનો ઉપયોગ ન કરવો.

બુધવાર -
બુધવાર ગણેશજીને સમર્પિત છે. બુધ ગ્રહને વાણી અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. તેથી, બુધ ગ્રહને બળવાન કરવા અનેતેના શુભ પરિણામો મેળવવા માટે લીલા શાકભાજીનો ભોગ લગાવવો જોઈએ. કહેવાય છે કે, આ દિવસે લીલા શાકભાજીનું દાન કરવાથીજીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ગુરુવાર -
આ દિવસ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવને સમર્પિત છે. કહેવાય છે કે, આ દિવસે કેળાનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે,પરંતુ આ દિવસે કેળા અને દૂધનું સેવન કરવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનોવાસ છે.

શુક્રવાર -
શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. કહેવાય છે કે, આ દિવસે તમામ દેવી-દેવતાઓની પૂજા કરવાનો નિયમ છે. આવી સ્થિતિમાંસારા સ્વાસ્થ્ય માટે અને કુંડળીમાં શુક્રને બળવાન બનાવવા માટે શુક્રવારના રોજ ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

શનિવાર -
શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવને તેમની કૃપા મેળવવા માટે સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. આવીસ્થિતિમાં, જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ શનિવારના રોજ તેલથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

રવિવાર -
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારના દિવસે સૂર્ય દોષથી બચવા અને કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત બનાવવા માટે ભોજનમાંમીઠું ટાળો. આ દિવસે મીઠું ન ખાવાથી ગ્રહનું શુભ ફળ જોવા મળે છે. કુંડળીમાં બળવાન સૂર્ય વ્યક્તિને કીર્તિ, સન્માન અને સારું સ્વાસ્થ્યઆપે છે.