For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમારા પગમાં છે આ રેખા, તો તમે ટૂંક સમયમાં બનશો કરોડપતિ

આપણા હાથની રેખાઓ આપણા વિશે ઘણું કહે છે. કહેવાય છે કે આપણા હાથની રેખામાં આપણા ભૂતકાળ, ભવિષ્ય વિશે કેટલાક રાઝ છુપાયેલા હોય છે.

|
Google Oneindia Gujarati News

આપણા હાથની રેખાઓ આપણા વિશે ઘણું કહે છે. કહેવાય છે કે આપણા હાથની રેખામાં આપણા ભૂતકાળ, ભવિષ્ય વિશે કેટલાક રાઝ છુપાયેલા હોય છે. જો કે આપણા પગની રેખાઓ પણ આપણું ભવિષ્ય જણાવે છે.

આ પણ વાંચો: આ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ

સમુદ્ર શાસ્ત્રમાં પગના તળિયાની રેખાઓ વાંચીને ભવિષ્ય વિશે માહિતી અપાય છે. જો તમે પણ પગની રેખાઓ પરથી તમારું ભવિષ્ય જાણવા ઈચ્છતા હો તો આ આર્ટિકલ તમારા માટે જ છે.

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન

જો પગની તર્જની આંગળીમાં એક ઉભી રેખા હોય તો તમારા લગ્ન ટૂંક સમયમાં થઈ જશે, અને જીવનસાથી પાસેથી વધુ પ્રેમ મળશે.

પગમાં સાપ કે ઉંદર

પગમાં સાપ કે ઉંદર

જે મહિના પગમાં સાપ કે ઉંદરના આકારની રેખા હોય તેમનું જીવન કષ્ટદાયી હોય છે, સાથે જ સમયાંતરે તેમને નુક્સાન પણ થાય છે.

મળે છે ધનસંપત્તિ

મળે છે ધનસંપત્તિ

જો પગના મધ્યમાં એક રેખા મધ્યમ આંગળી સુધી જાય તો વ્યક્તિના જીવનમાં તમામ સુખ મળે છે. તેમાં ધન સંપત્તિ અને પુત્રનું સુખ સામેલ છે.

માળા કે ચિન્હ

માળા કે ચિન્હ

પગમાં જમણી તરફ ચક્ર હોય અને માળા અંકુશ વગેરેના ચિહ્ન હોય તો વ્યક્તિને રાજસુખ પ્રાપ્ત થાય છે.

પગમાં શંખ કે માછલી

પગમાં શંખ કે માછલી

પગમાં શંખ, ચક્ર, માછલીના નિશાન હોય તો વ્યક્તિ મંત્રી પદ તેમજ ચલ-અચલ સંપત્તિ મેળવે છે.

સાથિયો

સાથિયો

જે વ્યક્તિના પગમાં ધ્વજ, છત્ર, ચક્ર, સ્વસ્તિક, પદ્મ વગેરેના ચિહ્ન હોય તે સમ્રાટ હોય છે.

બની શકો છો વડાપ્રધાન

બની શકો છો વડાપ્રધાન

જો પગમાં હાથી, ઘોડા, તોમર, પર્વત, અંકુશ, સ્તંભ, કુંડલ, બિલ્વ, રથ કે પૈદી જેવા એક કે અનેક ચિહ્ન હોય તો વ્યક્તિ પ્રતિષ્ઠિત ઉચ્ચાધિકારી કે પ્રધાનમંત્રી બની શકે

પ્રાણીઓની આકૃતિ

પ્રાણીઓની આકૃતિ

પગમાં શિયાળ, ભેંસ, ઘુવડ કે કાગડા જેવી આકૃતિ હોય તો તે શુભ નથી મનાતી. આવી આકૃતિ હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખ વધુ આવે છે.

સૂર્ય કે ચંદ્રમા

સૂર્ય કે ચંદ્રમા

પગમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, પૃથ્વી, ચક્ર, વ્યંજન, તોરણ, સિંહ, વિદ્યાર્થી, સાથિયો, પૂર્ણ, કુંભ, મકર, હંસ, અંકુશ, પદ્મ જેવા એક કે એકથી વધુ ચિહ્ન હોય તો વ્યક્તિને સૌભાગ્ય, એશ્વર્ય, સંપત્તિ અને જીવનના તમામ સુખ મળે છે.

મુલાયમ તળિયા

મુલાયમ તળિયા

જો તમારા પગના તળિયા કુદરતી રીતે મુલાયમ હોય તો તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. આવા લોકોને જીવનમાં તમામ સુખ સહેલાઈથી મળી જાય છે.

કાળા તળિયા

કાળા તળિયા

જો પગના તળિયા કાળા હોય તો ધનની કમી રહે છે, સાથે જ બીમારી પણ આવતી રહે છે.

English summary
Foot Reading – Things You Need to Know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X