For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ganesha Chaturthi 2022: જાણો ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાને દૂર્વા અર્પણ કરવાનુ મહત્વ

ભગવાન શ્રીગણેશની પૂજા દૂર્વા વિના અધૂરી રહે છે. ગણેશજીને દૂર્વા ખૂબ જ પ્રિય છે અને દૂર્વા ચઢાવવાથી...

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભગવાન શ્રીગણેશની પૂજા દૂર્વા વિના અધૂરી રહે છે. ગણેશજીને દૂર્વા ખૂબ જ પ્રિય છે અને દૂર્વા ચઢાવવાથી તરત જ પ્રસન્ન થઈને તે ઈચ્છિત વરદાન આપે છે. શ્રી ગણેશ પુરાણના ઉપાસના વિભાગમાં દુર્વોપાખ્યાન નામના અધ્યાયમાં દુર્વાનુ મહત્વ વિગતવાર વર્ણન કરવામાં આવ્યુ છે.

ganpati

તેમાં જણાવ્યા મુજબ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી પર ભગવાન ગણેશને માત્ર એક દુર્વાકુર અર્પણ કરવાથી જસિદ્ધિ, બુદ્ધિ, ધન, સંપત્તિ, મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. જેના કામનાની પૂર્તિની ધારણા કરીને દૂર્વા અર્પણ કરવામાં આવે છે તે જરુર પૂરી થાય છે. 31મી ઓગસ્ટે ભાદ્રપદ શુક્લ ચતુર્થી આવી રહી છે. આ દિવસે ભગવાન ગણેશ પ્રગટ થયા હતા. તેથી તેમને દૂર્વા ચઢાવવાથી તમે પણ ઈચ્છીત વરદાન મેળવી શકો છો.

દૂર્વા અર્પિત કરવાના લાભ

  • શ્રી ગણેશ પુરાણમાં ભગવાને પોતે કહ્યુ છે કે જે કોઈ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે સાચી ભક્તિ સાથે એક દુર્વા પણ અર્પણ કરી દે છે તે મારો પ્રિય બની જાય છે.
  • ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે ગણેશજીને 21 દુર્વા અર્પણ કરવાથી ઉત્તમ ફળ મળે છે. તે મુશ્કેલીઓ સામે રક્ષણ આપે છે. પાપોનો નાશ થાય છે.
  • ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી ચતુર્દશી સુધીના દસ દિવસ સુધી દરરોજ 108 દુર્વા ચઢાવવાથી તમામ પ્રકારની આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. ધન, સંપત્તિની પ્રાપ્તિ થાય અને સુખમાં વધારો થાય.
  • ચતુર્થીના દિવસે108 દૂર્વાને નાડાછડીથી બાંધીને એક જથ્થો બનાવી લો. તેના પર થોડુ સિંદૂર લગાવીને ગણેશજીના દ્વાદશ નામોનુ ઉચ્ચારણ કરીને અર્પણ કરવાથી પારિવારિક જીવનની પરેશાનીઓ દૂર થાય છે. પરસ્પર પ્રેમ વધે છે.
  • ધનના આગમન અને વેપારમાં વૃદ્ધિ માટે ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની શાસ્ત્રોક્ત પૂજા કરો અને 1008 દુર્વાકુર અર્પણ કરો. ગણપતિ અથર્વશીર્ષના 11 પાઠ કરો. બીજા દિવસે ગણેશજીને અર્પણ કરેલી દૂર્વાને સિંદૂરના કપડામાં સિંદૂરથી બાંધીને તિજોરીમાં રાખવી જોઈએ. જેના કારણે આર્થિક સંકટ જલ્દી ખતમ થવા લાગે છે.
  • શ્રેષ્ઠ જીવનસાથીની ઈચ્છા સાથે, યુવક-યુવતીઓ ગણેશજીની વિધિવત પૂજા કર્યા પછી 108 દૂર્વા અર્પણ કરે અને તેને પીળા કપડામાં સિંદૂર સાથે બાંધીને જમણા હાથ પર બાંધી લે. ઇચ્છિત જીવનસાથી જલ્દી જ મળી જશે.
English summary
Ganesha Chaturthi on 31st August. Read Importance of offering Durva to Lord Ganesha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X