મનગમતી યુવતી સાથે લગ્ન કરવા હોય તો કરો આ ઉપાય!
[પંડિત અનુજ કે. શુક્લ] યુવાનીના ઉંબરે પગ મૂકતાની સાથે જ યુવાઓનું મન વિરોધી લિંગ પ્રત્યે આકર્ષિત થવા લાગે છે. મન ચંચળ હોય છે, માટે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ હોય છે અને એ પણ યુવાવસ્થામાં. આંખો દરેક સારી વસ્તુ પ્રત્યે આકર્ષિત થાય છે. પરંતુ આંખોના માર્ગે જે વસ્તુ દિલમાં ઉતરી જાય છે તેને પ્રેમ થઇ જાય છે.
પ્રેમની શરૂઆત આકર્ષણથી થાય છે, પરંતુ આકર્ષણ જ્યારે સમર્પણનું સ્વરૂપ ધારણ કરી લે ત્યારે પ્રણય સૂત્રમાં બંધાવું લાઝમી થઇ જાય છે. જ્યાં સુધી જાતિ, ધર્મ અને પરંપરાઓ રૂઢિવાદિતાની સાંકળોમાં બંધાયેલી છે ત્યાં સુધી કોઇ પ્રેમ શું કામ કરશે અને કરશે તો પણ સમાજની વક્ર દ્રષ્ટિથી બચી શકશે નહીં.
જો આપ કોઇને પ્રેમ કરતા હોવ અને તેની સાથે સાત ફેરા ફરીને લગ્ન જીવનમાં બંધાવા માંગતા ઇચ્છો છો, પરંતુ પારિવારિક, ધાર્મિક, સામાજિક અને આર્થિક વગેરે પ્રકારની અડચણો ઊભી થઇ જાય છે. આવી સ્થિતિમાં નીચે આપેલા ચાર પ્રકારના ઉપાયો બતાવવામાં આવી રહ્યા છે, જેને અપનાવીને આપ પોતાની મનપસંદ યુવતી સાથે વિવાહ કરવામાં સફળ થશો.
सर्वबाधाप्रशमनं त्रैलोक्यस्यालिलेश्वरि। एवमेव त्वया कार्यमस्मद्वैरिविनाशन्म।।
શ્રી નવદુર્ગે યન્ત્રને અભિમંત્રિત કરીને પૂજા સ્થળમાં રાખીને ઉપરોક્ત મંત્રનો ઓછામાં ઓછા એક માળાનો નિરંતર 40 દિવસ સુધી જાપ કરો. આ ઉપાય કરવાથી આપ પોતાની મનગમતી યુવતી સાથે લગ્ન કરવામાં સફળ રહેશો.
तब जनक पाइ बसिष्ठ आयसु ब्याह साज संवारि कै। मांडवी श्रुतकीरति उरमिला कुंअरि लई हंकारि कै।।
રામચરિત માનસની ઉપરોક્ત ચોપાઇનું વિધિવત પઠન કરવાથી ખૂબ જ જલદી આપની મનોકામના પૂર્ણ થશે.
‘‘ऊॅ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः''
ઉપર આપેલા મંત્રને લગભગ 1 માળાનું વિધિવત જાપ કરવાથી આપની વિવાહને લગતી મનોકામના પૂર્ણ થઇ શકશે.
"ऊॅ ग्रां ग्रीं ग्रौं सः गुरूवे नमः"
ઇચ્છાનુસાર લગ્ન કરવા માંગતા નવયુવકો કેળાનું સેવન કરો અને પીળા રંગની બેડસીટ પર ઊંઘવાનું રાખો. તેમજ ઉપર આપેલા મંત્રનું નિયમિતપણે જાપ કરો.