રવિ વલયઃ અપયશ, અપમાનનુ કારણ બને છે
Read Everything about Sun Ring: હસ્તરેખા શાસ્ત્રમાં વલયને શુભ માનવામાં આવતુ નથી. વલય કોઈને કોઈ પર્વતને ઘેરીને જ બને છે. આ જે ગ્રહના પર્વતને ઘેરીને બને છે તેનાથી સંબંધિત ખરાબ પ્રભાવ વ્યક્તિના જીવનમાં જોવા મળી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે રવિ વલયની. જેવુ કે નામથી જ ખબર પડે છે કે રવિ વલય સૂર્ય પર્વતને ઘેરીને બને છે. સૂર્ય પદ-પ્રતિષ્ઠા, માન-સમ્માન, સરકારી સેવા ક્ષેત્ર, પિતા વગેરેનો કારક હોય છે. રવિ વલય હોવા પર આના સંબંધિત શુભ ફળોમાં ઘટાડો જોવા મળે છે.
કેવી રીતે બને છે રવિ વલય
જો કોઈ રેખા મધ્યમા અને અનામિકા આંગળીની મધ્યથી નીકળીને સૂર્યને ઘેરીને અનામિકા અને કનિષ્ઠિકાના મધ્યમાં જઈને સમાપ્ત થાય તો તે રવિ વલયનનુ નિર્માણ કરે છે. આને રવિ મુદ્રા પણ કહેવામાં આવે છે.
રવિ વલયનુ ફળ
- જે વ્યક્તિના હાથમાં રવિ મુદ્રા હોય છે તેનુ જીવન બહુ સામાન્ય સ્તરનુ હોય છે. આવા વ્યક્તિઓને વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. બહુ વધુ પરિશ્રમ કરવા પર પણ આવા વ્યક્તિને કોઈ પ્રકારનો યશ મળતો નથી.
- રવિ વલયવાળા વ્યક્તિ ઈમાનદાર, ઉદાર, ચરિત્રવાન હોય છે, તો પણ અપયશ મળે છે. આ વ્યક્તિ બીજાની ભલાઈ અને મદદ કરે છે તેમછતાં તેમને સમ્માન મળતુ નથી.
- રવિ વલય હોવા પર સૂર્ય પર્વતના બધા શુભ પ્રભાવ વિપરીત થઈ જાય છે. સામાજિક જીવનમાં આવા જાતકો ઘણી વાર અપમાનજનક સ્થિતિઓનો સામનો કરવો પડે છે.
- રવિ વલય બનાવનારી રેખા ક્યાંયથી તૂટેલી હોય તો તેના અશુભ પ્રભાવ ઓછા હોય છે.
- રવિ વલયની અંદર સૂર્ય પર્વત પર ક્રોસનુ ચિહ્ન હોય તો જાતક ભયંકર માનસિક પીડામાંથી પસાર થાય છે.
- રવિ વલય બનાવતી રેખાઓ જંજીરવાળી હોય તો જાતક જેલની યાત્રા કરવી પડે છે.
રવિ વલયના દુષ્પ્રભાવ કેવી રીતે ટાળવા
- નિયમિત રીતે સૂર્યોદય સમયે સૂર્યને જળનુ અર્ધ્ય અર્પણ કરો.
- આદિત્યહ્રદય સ્તોત્રનુ નિયમિત પઠન કરવુ.
- લાલ ચંદનનો ટીકો મસ્તક પર લગાવવો.
- લાલ દોરીમાં બાંધીને તાંબાનુ સૂર્યનુ પેંડન્ટ ગળામાં પહેરવુ.
- પિતા, સસરા અને પિતા સમાન વ્યક્તિઓની સેવા કરવી.
બુધ ગ્રહનો 25 જાન્યુઆરીથી કુંભ રાશિમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર