કુંવારા માટે નથી સારું ચંદ્રગ્રહણ, ભૂલથી પણ ના કરતા આ કામ
23 માર્ચનું ચંદ્રગ્રહણ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી અમેરિકામાં દેખાવાનું છે. વળી ભારતીય મહાસાગર, આર્કટિક, એન્ટાર્ટિકામાં પણ આશંક રીતે દેખાશે. નોંધનીય છે કે આ કે ભોગૈલિક ધટના છે. પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ આનાથી ગ્રહોની ચાલમાં પણ અસર થશે અને રાશિ પર પણ તેની અસર દેખાશે. જેથી જીવન પર પણ પ્રભાવ પડશે. જેના માટે કરીને લોકોને સાવધાની રાખવાની જરૂર છે.
બનારસના આચાર્ય શ્રી ભગવતી શુક્લએ વનઇન્ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે ચંદ્રગ્રહણ હંમેશા કુંવારા યુવકો માટે સારું નથી માનવામાં આવતું. કારણ કે ચંદ્રમાં સુંદરતાનું પ્રતીક છે. અને તેને તમામ કુંવારાઓએ ના જોવું જોઇએ કારણ કે ચંદ્રમા શ્રાપિત છે. તે વિષે વધુ જાણો નીચેના અમારા આ આર્ટીકલમાં.
ચંદ્રને મળ્યો શ્રાપ
આચાર્ય શ્રી ભગવતી શુક્લના જણાવ્યા મુજબ પુરાણોમાં કહ્યું છે કે ચંદ્રને પોતાની સુંદરતાને લઇને ખુબ જ ધમંડ હતું. અને આ માટે જ તેને શ્રાપ પણ મળ્યો હતો. અને તે પોતાની પત્નીથી દૂર થઇ ગયો હતો.
પૂર્ણ ચંદ્ર ક્યારેય ના જોવો જોઇએ
તેના કારણે છે કહેવાય છે કે કુંવારાઓએ કદી પણ પૂર્ણ ચંદ્ર ના જોવો જોઇએ, કારણ કે તેનાથી વૈવાહિક જીવનમાં તો કષ્ટ આવે જ છે. જેમના લગ્ન નથી થતા તેમના લગ્નમાં પણ સમય લાગી જાય છે.
આંખો પર અસર
આ જ કારણે જે લોકોના લગ્ન નથી થયા અને જે લોકો લગ્ન કરવાના ઇચ્છુક છે તેમને ચંદ્રગ્રહણ ના જોવું જોઇએ. વળી તેનાથી આંખોને પણ અસર થાય છે અને સ્વાસ્થયની દ્રષ્ટ્રિએ પણ તેને ખરાબ માનવામાં આવે છે.
ચંદ્ર ઉગ્ર
ચંદ્ર આમ તો શીતળતાનું પ્રતીક મનાય છે. પણ ગ્રહણ જ્યારે લાગે છે ત્યારે તે ઉગ્ર થાય છે. અને તેની ખરાબ અસર કુંવારા યુવક યુવતીઓ પર પડે છે. આ જ કારણે ગ્રહણને થતી વખતે તેને જોવાની મનાઇ કરવામાં આવે છે.
2016