આ નવરાત્રિમાં રાશિ મુજબ માં અંબેના જાપ કરી ધન્ય થાવ
આઠ વર્ષ ચિત્ર અને વૈઘૃતિ યોગમાં 13 ઓક્ટોબરે શરૂ થનારી શારદીય નવરાત્રિમાં જો કોઇ વ્યક્તિ પોતાની રાશિ મુજબ મંત્રનો જાપ કરશે તેમની સાધના ફળશે અને તેમની પર માતાની કૃપા પણ બનશે તેવું અમારા જ્યોતિષ એક્સપર્ટ પંડિત સોમેશ્વર જોશીએ જણાવ્યું છે. ત્યારે રાશિ પ્રમાણે તમારે કેવી રીતે આ નવરાત્રીમાં મંત્રજાપ કરવો તે અમે આજે તમને જણાવાના છીએ.
આ માટે તમારે કોઇ વિશેષ તૈયારી કરવાની જરૂર નથી બસ સવારે તમારે નાહ્યા બાદ ભગવાન સામે દિવા-બત્તી કરીને એક માળા લઇને આ જાપ કરી શકો છો. અથવા તો સમય મળે ત્યારે દિવસભરમાં ગમે ત્યાં માં દુર્ગાના જાપ કરી શકો છો.
વળી પંડિતજીના જણાવ્યા મુજબ જો તમે દિવસમાં 21 વાર જાપ કરશો તો તમારી બધાઓ દૂર થશે અને તમારા સફળતાના યોગ પણ બનશે. ત્યારે નવરાત્રિના પવિત્ર સમયે તમે કંઇ કેવી રીતે માં દુર્ગાના જાપ કરશો, કંઇ રાશિ પ્રમાણે કરશો તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. નોંધનીય છે કે અમે તમારા નામ પ્રમાણેની રાશિ મુજબ જાપ વિષે જણાવાના છીએ.
મેષ (અ,લ,ઇ)
મેષ રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
વૃષભ (બ,વ,ઉ)
વૃષભ રાશિના જાતિકોએ પણ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
મિથુન (ક,ખ,જ,)
મિથુન રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ओम क्लीं ऐं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
કર્ક (ડ,હ)
કર્ક રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
સિંહ (મ.ટ)
સિંહ રાશિના જાતિકોએ શ્રી મંત્રની પૂજા કરવી લાભકારક છે. તેમણે ॐ ह्रीं श्रीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
કન્યા (પ,ઠ,ણ)
કન્યા રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે .ॐ क्लीं ऐं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
તુલા (ર,ત)
તુલા રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
વૃશ્ચિક (ન,ય)
વૃશ્ચિક રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
ધનુર (બ,ભ,ફ)
ધનુર રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ह्रीं क्लीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
મકર (ખ,જ)
મકર રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
કુંભ (જ,શ,સ)
કુંભ રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
મીન (દ,ઝ,ચ,થ)
મીન રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ह्रीं क्लीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.