નવરત્નની અંગૂઠી બનાવતા પહેલાં આ વાતોનું ખાસ ધ્યાન રાખો
વૈદિક જ્યોતિષમાં પ્રત્યેક ગ્રહ સંબંધિત એક રત્ન અને તેના અનેક ઉપરત્નોની માન્યતા છે. આ રત્ન ત્યારે ધારણ કરાવવામાં આવે છે જ્યારે કોઈ રત્ન જાતકની જન્મકુંડલીમાં ખરાબ અવસ્થામાં બેઠેલો છે અથવા તેનો શુભ પ્રભાવ નથી મળી શકતો. આ ઉપરાંત નવરત્નોની અંગૂઠી અને પેંડેંટ પહેરીને ચાલવું પણ આજકાલ બહુ વધી ગયું છે. નવરત્નની અંગૂઠી અથવા પેંડેંટને આજકાલ યુવતિઓ અને સ્ત્રિઓ ફેશન જ્વેલરી તરીકે પણ પહેરવા લાગી છે. પરંતુ આને માત્ર ફેશન માનવાની ભૂલ ના કરવી જોઈએ. અસલી નવરત્ન ધારત કરી રહ્યા છો તો જરૂરી છે કે ગ્રહોના રત્ન યોગ્ય ક્રમમાં હોય, સાચી દિશામાં જડેલા હોય. નહિતર તમારા પર તેનો ઉલટો પ્રભાવ જોવા મળી શકે છે.
જો તમે જ્યોતિષ ઉપાયો માટે નવરત્નની અંગૂઠી, પેંડેંટ અથવા બ્રેસલેટ પહેરી રહ્યા હોવ તો તમારે કેટલાક નિયમો જાણી લેવા અત્યંત જરૂરી રહેશે. મુહૂર્ત ચિંતામણિ ગ્રંથમાં આના માટે કેટલાક નિર્દેશ આપેલા છે.
वज्रं शुक्रेब्जे सुमुक्ता प्रवालं भौमेगो गोमेदमार्को सुनीलम् ।
केतौ वैदरूय गुरौ पुष्पकं ज्ञे पाचि: प्राड्माणिक्यमर्के तु मध्ये ।।
કઈ ધાતૂમાં બનાવવું
સૌથી પહેલી વાત તમને નવરત્ન સ્વર્ણમાં જોડવાનો પ્રયાસ જ કરવો જોઈએ, સ્વર્ણમાં બનાવવાની ક્ષમતા ના તો ચાંદીમાં અથવા ચાંદીમાં પણ જડવાની ક્ષમતા ના હોય તો અષ્ટધાતુમાં રત્નોને જડાવી શકાય છે, પરંતુ તેનો તરત અને સૌથી વધુ પ્રભાવ સ્વર્ણ ધાતુમાં જ પ્રાપ્ત થાય છે.
ગ્રહ રત્નોના ક્રમ
ધાતુની પસંદગી કર્યા બાદ નવરત્નોના ક્રમનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. અંગૂઠી અથવા પેંડેંટમાં રત્ન જડવાના સ્થાન પર રત્નો માટે 9 કોષ્ઠોને સુંદર કોણોં વાળા ચતુરસ્ત્ર અથવા અષ્ટદળ કમલ વગેરેના આગારનો કોઈ બુદ્ધિમાન શિલ્પકલામાં નિપુણ સ્વર્ણકારથી બનાવવો જોઈએ. જેમાં શુક્રની પ્રસન્નતા માટે પૂર્વી ભાગમાં હીરા, ચંદ્ર માટે આગ્નેય કોણમાં મોતી, મંગળ માટે દક્ષિણમાં મૂંગા, રાહુ માટે નૈઋત્યમાં ગૌમેદ, શનિ માટે પશ્ચિમમાં સુંદર નીલમ, કેતુની પ્રસન્નતા માટે વાયવ્યમાં વૈદૂર્ય, ગુરુ માટે ઉત્તરમાં પુખરાજ, બુધ માટે ઈશાનમાં પન્ના અને સૂર્ય માટે મધ્યમાં માણિક્ય જડાવો. જે બાદ રત્નોની પ્રાણપ્રતિષ્ઠા કરીને ધારણ કરવા જોઈએ.
શું તમારુ નસીબ ચમકાવી શકે છે જ્યોતિષ?