For Daily Alerts
Happy Birthday: બુધવારે જન્મેલા લોકો હોય છે આવા!
તમે જે દિવસે જન્મ લો છો તેની તમારા જીવન પર કેવી અસર પડે છે. જન્મના વાર અનુસાર પણ લોકોના જીવન વિશે જાણી શક્ય છે. આ અંગે વધુ વાંચો અહીં.
જેવી રીતે જન્મના આંકડાની તમારા જીવન પર અસર પડે છે. તેવી જ રીતે તમે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યકિતત્વ પર અસર પડે છે. તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યુ હશે કે, બાળકનો જન્મ આ દિવસે કરાવો, આ દિવસે નહિં. આ વિશે વાત કરતા પ્રસુતિ રોગના નિષ્ણાત ડૉ. ગૌરી જૈનનું કહેવું છે કે, હંમેશા લોકો અમારી પાસે આવે છે અને કહે છે કે મેડમ જો ઓપરેશન કરવાનું હોય તો આ દિવસે કરાવો કારણ કે બ્રાહ્મણ પ્રમાણે આવનારા બાળક માટે આ દિવસ શુભ છે. તેને આધારે આજે અમે તમને જણાવિશું કે તમે જે દિવસે જન્મ લો છો તેની તમારા જીવન પર કેવી અસર પડે છે. આજે વાત કરીશું બુધવારે જન્મેલા જાતકો વિશે.
બુધવાર
બુધવારના આાધારે તેમનો સ્વભાવ, તેમનું વ્યક્તિત્વ અને તેમનું સમસ્ત જીવન કેવું રહે છે તે જાણવા વાંચો આ આર્ટીકલ...
- બુધવારે જન્મેલી વ્યકિત શાંત, વિદૂષી અને બિઝનસ માઈન્ડ હોય છે.
- તેમના જીવનમાં પ્લાનિંગ કોઈ જ મહત્વ ધરાવતુ નથી, તેમ છતાં તેઓ સુવ્યવસ્થિત કામ કરવાના આદી હોય છે.
- તેઓ સ્પષ્ટ અને સાફ-સુથરી વિચારધારાના માલિક હોય છે.
હકારાત્મ વિચારધારા
- તેઓ નવી નવી ચીજો વિશે જાણવા ઉત્સુક હોય છે.
- તેમની વાત કરવાની શૈલી અત્યંત પ્રભાવશાળી હોય છે.
- તેમના વિચારો સકારાત્મક હોય છે, સાથે જ જીવનમાં આગળ વધતા રહેવાની ધગશ તેમનામાં પ્રબળ હોય છે. જેને કારણે તેઓ જીવનમાં ઉન્નતિના શીખરો શર કર્યા કરે છે.
શાંત સ્વભાવ
- સામાન્ય રીતે તેમને ગુસ્સો ઘણો ઓછો આવે છે પણ જ્યારે આવે છે ત્યારે સામેવાળાની આઈ બને છે.
- તેઓ ખર્ચીલા હોય છે અને નકામી વસ્તુઓ પર પૈસા વેડફે છે.
- તેમનું લગ્નજીવન સુખી હોય છે, કારણ કે તેઓ પોતાના પાર્ટનરની ખૂબ કાળજી લે છે.
- સામાન્ય રીતે તેઓ ચીજોને લઈ વધુ હેરાન થતા નથી, પરિણામે તેઓ પોતાના જીવનથી ખૂબ જ સંતુષ્ટ હોય છે.
- તેઓ જલ્દી કોઈને માફ કરતા નથી. જે એક વાર તેમની નજરમાંથી ઉતરી જાય તેને તે જલ્દીથી પોતાના મનમાં જગ્યા આપતા નથી.
- હંમેશા બુધવારે જન્મેલા લોકો એકેડમિક ફિલ્ડમાં જોવા મળે છે, કારણ કે તેઓ તીવ્ર બુદ્ધિના હોય છે.
તીવ્ર બુદ્ધિવાળા
English summary
Wednesday Born Person are quite witty and have a mind curved specially for business.