ગ્રહણની અસરથી બચવા કરો આ ચમત્કારી મંત્રોનો જાપ
રક્ષાબંધનના આવી રહ્યો છે ચંદ્ર ગ્રહણ. ગ્રહણની નકારાત્મક ઊર્જાથી કરો મંત્રોના જાપ.
7 ઓગસ્ટ 2017ના રોજ રક્ષાબંધન પર ચંદ્ર ગ્રહણ આવી રહ્યુ છે. ગ્રહણને લઈ લોકોના મનમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ થતી હોય છે અને તેઓ આ સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું, શું કરવું ? શું ન કરવું ? ગર્ભવતી સ્ત્રીઓએ કઈ વાતોનું ધ્યાન રાખવું આવી ? અનેક વાતો જાણવા ઈચ્છે છે. હિંદુ ધર્મમાં અનેક ગ્રંથોમાં ગ્રહણ કાળ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેનું વિસ્તારથી વર્ણન જોવા મળે છે. હવે તો વિજ્ઞાન પણ આ વાતને સિદ્ધ કરી ચૂક્યું છે કે સૂર્ય કે ચંદ્ર ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી જાય છે. જેના ફળસ્વરૂપે બેક્ટેરિયા વગેરેની સંખ્યા વધી જાય છે. પરિણામે આ સમયે જમવું નહિં. ગ્રહણ શરૂ થતા પહેલા ખાવા-પીવાની વસ્તુઓ પર તુલસીના પાન કે કુશ મુકવા જોઈએ.
ગ્રહણમાં મંત્રોનું ખાસ મહત્વ
ધાર્મિક માન્યતા પ્રમાણે ગ્રહણમાં મંત્ર જાપનું ખાસ મહત્વ છે. તાંત્રિક ક્રિયાઓ માટે આ સમય અત્યંત ક્રિયાશીલ મનાય છે. અહીં અમે તમને પાંચ સરળ મંત્રો વિશે જણાવીશું, સામાન્ય જન પણ પોતાના પૂજા સ્થાને બેસી આ મંત્રોનો જાપ કરી શકે છે. આ મંત્રો તમને ગ્રહણ દરમિયાન થનારી નકારાત્મક અસરો સામે રક્ષણ પૂરું પાડે છે. તેની સાથે જ તેનાથી કૌટુંબિક સુખ, સૌભાગ્ય, આર્થિક સમૃદ્ધિ પણ મળે છે.
પહેલો મંત્ર
- ऊं क्लीं देवकीसुत गोविंद वासुदेव जगत्पते
- देहि मे तनयं कृष्णं त्वामहं शरणं गतः क्लीं ऊं
બીજો મંત્ર
- ऊं नमो भगवते वासुदेवाय
ગ્રહણ શરૂ થતા પોતાના પૂજા સ્થાને પૂર્વ દિશા તરફ મુખ કરી પીળા કે લાલ રંગના આસન પર બેસી જવું. સ્ફટિકની માળાથી આ મંત્રનો જાપ કરવો. આ મંત્રના 11, 21 કે 31 જાપ કરવા. તેનાથી કાર્યોમાં સિદ્ધિ અને વિષ્ણુની કૃપા મળી રહે છે. જીવનમાં જ્યારે પણ મુશ્કેલી જણાય ત્યારે આ મંત્રનો જાપ કરી શકાય છે.
ત્રીજો મંત્ર
- ऊं तत् स्वरूपाय स्वाहा
આ મંત્ર ભગવાન વિષ્ણુનો ચમત્કારિક અને ઝડપી પ્રભાવ દેખાડનારો મંત્ર છે. ગ્રહણ કાળમાં ઉત્તરની તરફ મુખ કરી પૂજા સ્થાને બેસી જવું. ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યા બાદ તુલસીનીમાળાથી આ મંત્રનો જાપ કરવો. તમારી ક્ષમતા પ્રમાણે 5, 11 કે 21 માળા કરી શકો છો. આ મંત્રની વચ્ચે કંઈ જ બોલવું નહિં. ગ્રહણ બાદ પણ આ મંત્રનો જાપ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
ચોથો મંત્ર
- ऊं श्रीं आं ह्रीं सः
આ મંત્ર સૌંદર્ય લક્ષ્મીનો મંત્ર છે. ગ્રહણ દરમિયાન પૂર્વ દિશામાં મુખ કરી બેસી જવું. મનમાં મહાલક્ષ્મીનું ધ્યાન કરો અને આ મંત્રનો જાપ કરો. સ્ફટિકની માળાથી મંત્ર જાપ કરો. આ મંત્રના પ્રભાવથી વ્યક્તિની આકર્ષણ શક્તિ વધે છે. બીજા લોકો તેની વાત માનવા લાગે છે અને માન-પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
પાંચમો મંત્ર
- ऊं तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्रः प्रचोदयात
આ શિવ ગાયત્રી મંત્ર છે. આ મંત્ર બળ, સાહસમાં વધારો કરી રોગોનો નાશ કરે છે અને નિર્ભય બનાવે છે. આ મંત્રના જાપ માટે પૂર્વ તરફ મુખ કરીને બેસી જવું. શિવનું ધ્યાન કરવું અને રુદ્રાક્ષની માળાથી 5, 11 કે 21 માળા જપવી, ગ્રહણ દોષો શિવાય આ મંત્ર વ્યક્તિના દરેક પ્રકારના રોગોને દૂર કરે છે.