13 સપ્ટેમ્બરે સૂર્ય ગ્રહણ, જાણો તમારી રાશિ શું કહે છે
વર્ષનું બીજુ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ 13 સપ્ટેમ્બરને રવિવારે સવારે 10.10 વાગ્યાથી બપોરે 02. 36 વાગ્યા સુધી ચાલશે. ગ્રહણનો કુલ સમય 4 કલાક અને 26 મિનીટ રહેશે. આ ખગોળીય ઘટનાને દક્ષિણ આફ્રીકાના મહાદ્વીપ, દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગર અને એન્ટાર્કટીકાના પૂર્વ ક્ષેત્રોમાં જોઈ શકાશે. ભારતમાં આ ગ્રહણ નહીં જોવા મળે.
આ ગ્રહણ સિંહ રાશિના પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ આ ગ્રહણનો તમામ રાશિઓ પર કેવો પ્રભાવ પડે છે.
મેષ
કેટલાક લોકોને સામાજીક અપયશનો સામનો કરવો પડશે. વાણી પર નિયંત્રણ રાખવાની આવશ્યક્તા છે. કામ ધંધામાં અડચણો આવશે. પરંતુ તમારા વિવેકથી ગાડી પુન પાટા પર આવી જશે.
વૃષભ
કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવારમાં સુખદ વાતાવરણ બનેલું રહેશે. કેટલાક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સલાહ સૂચન સાથે જ કાર્યોમાં આગળ વધવું.
મિથુન
કેટલાક લોકોને આર્થિક લાભ થઈ શકે છે. રોજબરોજની વસ્તુઓ ખરીદવાથી મન આશાવાદી બનશે. સમજી વિચારીને કરવામાં આવેલા નિર્ણયો લાભપ્રદ રહેશે.
કર્ક
નવા કાર્યોમાં વધુ રોકાણથી બચવું જોઈએ. અન્યથા હાનિ થઈ શકે છે. જીવન પ્રત્યે આશાવાદી વિચાર રાખવાની જરૂર છે. ઘર ગૃહસ્થીમાં ખર્ચાની વૃદ્ધિ થશે.
સિંહ
કેટલાક લોકોને શારિરીક તેમજ માનસિક પીડા થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું અન્યથા કર્મચારીઓ તમારાથી રુષ્ટ થઈ શકે છે.
કન્યા
વ્યયની અધિક્તા બનેલી રહી શકે છે. જે કારણે આપ માનસિક રૂપે વ્યથિત રહી શકો છો. દોસ્તો પર ધનનો અધિક વ્યય કરતા બચતા રહેવું પડશે. ઘરેલું મામલામાં સ્થિતિ સામાન્ય બનેલી રહેશે.
તુલા
સમયની ઉપયોગિતા અને અવસરોને ઓળખીને તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. નવા કાર્યોને શરૂ કરવા માટે સમય સારો છે. ઝઘડાથી દૂર રહેવું.
વૃશ્ચિક
સમજી વિચારીને જ ક્યાક પૈસા લગાવો. અન્યથા આર્થિક નુકસાન જવાની શક્યતા છે. કેટલાક લોકો પોતાની જીવિકાને લઈને પણ ચિંતીત થઈ શકે છે. વાહનની ગતિમાં નિયંત્રણ બનાવી રાખવું જોઈએ.
ધન
ઘર પિરવારને લઈને ચિંતા બનેલી રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પણ મન વ્યથિત થઈ શકે છે. વિના કારણે કોઈના પર શંકા કરવાથી પોતાનું મન જ ખરાબ થશે.
મકર
કેટલાકને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. પરિવારમાં સહયોગથી જ વિકાસ સંભવ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.
કુંભ
જીવનસાથીને કોઈ પ્રકારનો કષ્ટ સંભવ છે. દાંમ્પત્ય જીવનમાં તાલમેલ બનાવીને ચાલવાથી મોટામાં મોટી મુસિબતનો પણ સામનો કરી શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી ઠીક નથી.
મીન
કેટલાક લોકો પર આ સમયે રોગ હાવી થઈ શકે છે. ખાવા પીવામાં સાવધાની રાખવી. આવક અને જાવકમાં સમાનતા બનાવી રાખવાની કોશિષ કરવી.