30 નવેમ્બરે 2020નું છેલ્લું ચંદ્રગ્રહણઃ ભારતીય સમય, મહત્વ અને અન્ય વિગતો તપાસો
30 નવેમ્બરે 2020નું છેલ્લું ચંદ્રગ્રહણઃ ભારતીય સમય, મહત્વ અને અન્ય વિગતો તપાસો
કથિત રીતે મુસિબતોથી ભરપૂર વર્ષ 2020 આખરે સમાપ્ત થવાના આરે છે. મહામારી સિવાય 2020માં ઘણી ખગોળિય ઘટનાઓ પણ જોવા મળી. આ વર્ષની છેલ્લી ખગોળિયા ઘટના 30 નવેમ્બરે જોવા મળશે. આગામી 30 નવેમ્બરે 2020નું છેલ્લું ચંદ્રગ્રહણ (Lunar Eclipe 2020) જોવા મળશે. આ વર્ષે 30 નવેમ્બરે અને સોમવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે 'ઉપછાયા' ચંદ્રગ્રહણ લાગશે.
ચંદ્રગ્રહણની અસર
જ્યોતિષિઓ મુજબ 30 નવેમ્બરે લાગી રહેલ ચંદ્રગ્રહણ 2020નું છલ્લું ચંદ્રગ્રહણ હશે. જ્યોતિષ જણાવે છે કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ વૃષભ રાશિના જાતકો પર સૌથી વધુ પ્રભાવિ રહેશે અને રોહિણી નક્ષત્ર અને તમામ રાશિના જાતકો પર થોડીઘણી અસર કરશે.
સુતક કાળ નહિ લાગે
જણાવી દઈએ કે દરેક ગ્રહણનો એક સુતક સમયગાળો હોય છે, જે દરમિયાન લોકોને મંત્રોચ્ચાર અને ધ્યાન ધરવાની સલાહ આપવામાં આવે છે. આગામી ચંદ્ર ગ્રહણમાં સુતક કાળ માન્ય નહિ ગણાય કેમ કે આ 'ઉપછાયા' ચંદ્રગ્રહણ છે.
ઉપછાયા ચંદ્રગ્રહણ એટલે શું?
માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણને નરી આંખે ના જોવું જોઈએ, પરંતુ આમાં કોઈ ધાર્મિક મહત્વ નથી. માત્ર ચંદ્રગ્રહણ આંખોથી જોઈ શકાતાં નથી અને તેથી જ તેને પંચાંગમાં સામેલ નથી. નિષ્ણાંતો મુજબ 30 નવેમ્બરે પડનાર ચંદ્રગ્રહણ ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, પેસિફિક મહાસાગર અને એશિયામાં જોવા મળશે.
Lord Krishna Story: જાણો ગાંધારીએ કેમ આપ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ?