આ વાસ્તુ ટિપ્સ અપનાવી તણાવને કરો ઘરની બહાર!
[વાસ્તુ ટિપ્સ] આજની દોડતી ભાગતી લાઇફમાં હતાશ, તણાવ અને ચિંતા જેવી બીમારીઓ લાગે તે સર્વ સામાન્ય બની ગયું છે. જેને દૂર કરવા માટે આપણે અવનવી રીતો અપનાવતા હોય છે. આ લેખ થકી અમે આપને તણાવ દૂર કરવા માટે વાસ્તુ ટિપ્સ આપીશું.
જો આજકાલ આપ ખૂબ જ વધારે તણાવમાં રહેતા હોવ, પછી ભલે તે ઓફીસના કારણે હોય કે પછી ઘરના કારણે તો ચિંતા ના કરો. કારણ કે અમે આપના માટે એવી વાસ્તુ ટિપ્સ છે જેને અપનાવીને આપ આપનો સ્ટ્રેસને દૂર ભગાડી શકો છો અને આપનું અને આપના પરિવારનું જીવન સુખમય બનાવી શકો છો.
તો આવો જોઇએ એવી 10 વાસ્તુ ટિપ્સ જે આપના જીવનને કરશે ચિંતામુક્ત...
1
આપના ઘરના મુખ્ય દ્વાર પર કોઇ પવિત્ર ચિહ્ન જેવાકે સ્વસ્તિક, ઓમ, તોરણ, ગણેશ-લક્ષ્મી, હનુમાનજીની મૂર્તિ વગેરે ટીંગાળવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી.
2
રના મુખ્ય દ્વાર પર એવી કોઇ વસ્તુ ના રાખવી જોઇએ જે આપના શરીરને ટચ કરતી હોય.
3
જો બની શકે તો આપ ઘરના મુખ્ય દ્વાર પર લીંબૂ અને મર્ચા બાંધી શકો છો. જેનાથી પણ નકારાત્મ વસ્તુને બહાર રાખી શકાય.
4
ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં અથવા પશ્ચિમ દિશામાં જ હોવું જોઇએ.
5
ભૂલથી પણ ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ દિશા તરફ રાખવું નહીં. જેને અશુભ માનવામાં આવે છે.
6
ઘરના મુખ્ય દ્વાર પર ખાસ કરીને સોમવારે રૂદ્રાક્ષની માળા ટાંગી દો.
7
હંમેશા પોતાના પલંગમાં માથાના ભાગે લાલ કલરનું કપડું રાખો.
8
હંમેશા ઘરમાં આછો પ્રકાર રાખો. સંપૂર્ણ અંધકાર ક્યારેય કરવો નહીં.
9
સાંજના સમયે ક્યારેય પણ ઘરમાં ઝાડુ મારવું નહીં, અને જો ઝાડુ લગાવો તો કચરો બહાર ફેંકવો નહીં.
10
હંમેશા પોતાના વર્કિંગ ટેબલની પાસે પાણી ભરેલ જગ અથવા ગ્લાસ રાખવો.