ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત,શું શીખવી જાય છે 'ગણેશ વિસર્જન'
ગણેશ વિસર્જનની સાથે જ ગણપતિ બાપા ફરી જળમાં વિલીન થઈ જશે. ગણેશનુ વિસર્જન આપણને મોહ-માયા અને સંસારનો સાચો નિયમ સમજાવે છે આ અંગે વધુ વાંચો અહીં
આખો દેશ આ સમયે ગણેશ વિસર્જનમાં ડુબેલો છે, 25 ઓગસ્ટે શરૂ થયેલો ગણેશ ઉત્સવ 5 સપ્ટેમ્બરે પૂરો થશે. એટલેકે 5 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે. ક્યાંક ગણપતિ એક દિવસ, ક્યાંક 3 દિવસ, ક્યાંક 5 દિવસ, તો ક્યાંક 7 દિવસ તો ક્યાંક પૂરાં 10 દિવસ બિરાજે છે. પણ ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ મહોત્સવ અનંત ચતુર્દશીના દિવસે ખતમ થશે અને આ દિવસે ગણેશની પ્રતિમાનું વિસર્જન કોઈ પણ ભોગે થવું જોઈએ.

શું છે વિસર્જન?
'વિસર્જન' શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે 'પાણીમાં વિલિન થવું'. આ પ્રક્રિયા સન્માન સુચક છે, જેથી ઘરમાં પૂજા માટે ઉપયોગમાં લીધેલી મૂર્તિઓને વિસર્જિત કરી તેને સન્માન આપવામાં આવે છે. ભગવાનની મૂર્તિ પાણીમાં ભળી જાય છે. વિલિન થઈ જાય છે

ગણેશ વિસર્જન શું શીખવે છે?
ગણેશ વિસર્જન શીખવે છે કે, માટીમાં જન્મેલા શરીરને એક દિવસ માટીમાં મળી જવાનું છે. ગણેશની પ્રતિમા માટીની બનેલી છે અને પૂજા બાદ તે માટીમાં ભળી જવાની છે. ગણપતિને મૂર્તિરૂપે આવવા માટે માટીનો સહારો લેવો પડે છે, માટી પ્રકૃતિની દેન છે, પણ જ્યારે ગણેશ પાણીમાં વિલિન થાય છે ત્યારે તે ફરી પ્રકૃતિમાં ભળી જાય છે. એનો અર્થ એ છે કે જે લીધુ છે તે પાછુ આપવાનું છે, ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે.

ઈશ્વર નિરાકાર છે
આ ધર્મ અને વિશ્વાસની વસ્તુ છે કે, આપણે ગણપતિને આકાર આપીએ છીએ, પણ ઈશ્વરતો નિરાકાર છે અને બધે જ વ્યાપેલા છે. જે પણ આકાર લે છે તેને સમાપ્ત થવું પડે છે, પરિણામે વિસર્જનની પ્રથા છે. વિસર્જન શીખવે છે કે, જે વ્યક્તિ જન્મ લે છે તેણે આગલો જન્મ લેવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવો પડે છે. ગણપતિની મૂર્તિ બને છે, તેની પૂજા થાય છે પણ ફરી તેને આવતા વર્ષે પાછુ આવવા માટે વિસર્જિત થવું પડે છે. જીવન પણ આવું જ છે, પોતાની જવાબદારીઓને પૂરી કરો અને સમય પૂરો થતા નવા જન્મ માટે શરીરનો ત્યાગ કરો.

મોહ-માયાને ત્યાગો
વિસર્જન શીખવે છે કે સાંસારિક વસ્તુઓથી વ્યક્તિને મોહ ન થવો જોઈએ, કારણ કે એક દિવસ તેને છોડીને જવાનું છે. ગણપતિ ઘરમાં આવે છે, તેમની પૂજા થાય છે અને ત્યારબાદ મોહ-માયા છોડી આપણાથી વિદાઈ લે છે. તેવી જ રીતે જીવન પણ છે, જેને એક દિવસ છોડીને જવાનું જ છે, પરિણામે મોહ-માયાને ત્યાગી દેવી જોઈએ.

ગણેશ વિર્સજન શુભ મુહૂર્ત
ગણેશ વિસર્જની તિથિ: 4 સપ્ટેમ્બર, 2017ના રોજ ચતુર્દશી તિથિએ સવારે 12:14 વાગે શરૂ થશે અને 5 સપ્ટેમ્બર, 2017ના રોજ 12:41 વાગે સમાપ્ત થશે.
વિસર્જન મુહૂર્ત
- સવારે (ચાર, લાભ, અમૃત) - 09:32 થી 14:11 સુધી
- બપોરે (શુભ) = 15: 44 થી 17:17 સુધી
- સાંજે (પ્રયોગ) = 20:17 થી 21: 44 સુધી
- રાત્રે (શુભ, અમૃત, ચાર) = 23:11 વાગ્યે
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
