શું છે હિંદુ વિવાહમાં 7નું મહત્વ, કેમ 7 ફેરા વગર લગ્ન અધૂરા?
પરંપરાઓ અને સંસ્કૃતિના આપણાં દેશમાં સૌથી મોટો સંસ્કાર વિવાહ છે. વિવાહ દ્વારા માણસ પોતાના ગૃહસ્થ જીવનની શરૂઆત કરે છે. પોતાના સંતાનોને જન્મ આપી, તેમને સારો ઉછેર આપીને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરે છે. વૈદિક રીત રીવાજોને માનનાર લોકો સામાન્ય રીતે કહે છે કે જ્યાં સુધી લગ્નના સાત ફેરા ન લેવામાં આવે ત્યાં સુધી કોઈ પણ લગ્ન અધૂરા છે.
જ્યાં
સુધી
સાત
ફેરા
ન
થાય
ત્યાં
સુધી
પતિ-પત્ની
નહિં...
આ
સાત
ફેરા
જ
દંપતિને
સાત
જન્મ
સુધીના
સાથી
બનાવે
છે.
પરંતુ
શું
આપે
કદી
વિચાર્યું
છે
કે
હંમેશા
સાત
ફેરા
કે
સાત
જન્મની
વાત
જ
કેમ
થતી
હોય
છે.
અઠવાડિયું 7 દિવસનું
કહેવામાં આવે છે કે વર્ષને નાનું કરવા માટે સમયને અઠવાડિયામાં વહેચવામાં આવ્યો. અઠવાડિયુ સાત દિવસનું હોય છે, અને પતિ-પત્નીને સાથે રાખવા માટે સાત ફેરા અને સાત જન્મની વાત કરવામાં આવે છે.
ભગવાનના રથમાં 7 ઘોડા
પૂજ્ય સૂર્ય ભગવાનના રથમાં 7 ઘોડા છે, અને એટલે પણ 7ને શુભ માનવામાં આવે છે.
ઈન્દ્રધનુષના રંગ પણ 7
ઈન્દ્રધનુષના રંગ પણ 7 હોય છે. તેથી જ ઈન્દ્રધનુષને પણ શુભ માનવામાં આવે છે.
7 પગલા
કહેવાય છે કે માત્ર 7 પગલા સાથે ચાલીને માણસ એકબીજાનો સારો મિત્ર બની જાય છે. અને એટલે જ લગ્ન મંડપમાં જ્યારે 7મો ફેરો પૂરો થાય છે ત્યારે વર વધુને કહે છે કે તેઓ જીવનભર એકબીજાના મિત્ર બનીને રહેશે.
7 સ્વર
ભારતીય સૂર પણ 7 છે, જે એકબીજા વગર અધૂરા છે. જ્યારે આ 7 સૂરને અલગ અલગ કરી દેવામાં આવે તો એકનું મહત્વ નથી રહેતુ. અને અવું જ ગૃહસ્થ જીવનનું પણ છે. જો બંને સાથે ચાલે તો જ જીવનની ગાડી બરાબર ચાલે છે.
7 ક્રિયાઓ
શૌચ, દાંત સાફ કરવા, સ્નાન, ધ્યાન, ભોજન, ભજન, અને શયન આ 7 ક્રિયાઓ મનુષ્યના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. જીવનને સારી રીતે જીવવા માટે આ 7 નિત્યક્રમ જરૂરી હોય છે અને એટલે પણ 7 નંબરને શુભ માનવામાં આવે છે.
7 લોકોનું સન્માન
શાસ્ત્રોમાં માતા, પિતા, ગુરૂ, ઈશ્વર, સૂર્ય, અગ્નિ અને અતિથિના સન્માનની વાત કરવામાં આવી છે. અને એટલે જ 7 ફેરા અને 7 જન્મની વાત કરવામાં આવે છે.