For Quick Alerts
For Daily Alerts
2015માં શનિની મજબૂત અને અશાંત ઊર્જાનો ભારત પર પ્રભાવ
આની પહેલાના લેખમાં (પાછલા લેખને વાંચવા માટે અહીં ક્લિક કરો...)માં આપે વાંચ્યું કે 2015માં ભારત પર કયા પ્રકારની આપદાઓ આવવાની સંભાવના છે. હવે અમે વાત કરીશું આ ગ્રહની અશાંત ઊર્જાની. વર્ષ 2015માં શનિ વૃશ્ચિક રાશિમાં ચલાયમાન રહેશે. આ દરમિયાન 14 માર્ચથી 15 ઓગષ્ટ 2015 સુધી શનિની સ્થિતિ વક્રીય રહેશે.
આ જ્યોતિષીય આકલન અનુસાર ભારતમાં નિમ્ન ઘટનાઓ ઘટી શકે છે...
- શનિના પ્રભાવના કારણે ભારતને સાર્વજનિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અસફળતાઓ જોવી પડી શકે છે.
- સ્વચ્છતાથી સંબંધિત મુદ્દાઓ પર શનિનો પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે.
- વધતુ પ્રદૂષણ કેટલીક ગંભીર બીમારીઓને જન્મ આપી શકે છે.
- પ્રદૂષિત પાણી અને હવા ઉપરાંત સ્વચ્છ પાણીની ઊણપ એક મોટો મુદ્દો બનશે.
- આનુવંશિક રીતે સંશોધિત પાકના ક્ષેત્રમાં શોધ કુપોષિત લોકોને પોષણમાં સુધાર કરવામાં મદદ કરી શકે છે.
- દેશમાં કેન્સર, એઇડ્સ અને અન્ય ખતરનાક બિમારીઓના ઇલાજ હેતુ ટીકા ક્ષેત્રમાં ઉત્સાહજનક ઉન્નતિ જોવા મળી શકે છે.
શનિની મજબૂત અને અશાંત ઊર્જા સંકેત નિમ્ન વાતોના સંકેત આપી રહી છે-
- શક્તિશાળી આપરાધિક સમૂહો અને રાજનૈતિક પ્રતિષ્ઠાનોની વચ્ચે ગઠજોડ થઇ શકે છે.
- દેશમાં ભ્રષ્ટાચારમાં વૃદ્ધિ, અસ્થિરતા અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
- રાજનૈતિક મામલામાં વિશ્વાસઘાત થવાના સંકેત પણ મળી રહ્યા છે.
- રાહુ બુધના અધિકાર વાળી રાશિમાં છે, જે આતંકવાદી ઘટનાઓને વધવાના સંકેત આપે છે.
- આતંકવાદી રણનીતિ અત્યધિક પરિષ્કૃત થઇ જશે અને હિંસા ફેલાઇ શકે છે.
- જૈવિક અને રાસાયણિક હથિયારોનો ખતરો વધવાના સંકેત મળી રહ્યા છે.
પાછલા લેખને વાંચવા માટે અહીં ક્લિક કરો...
પંડિત દયાનંદ શાસ્ત્રીના સંપર્ક સૂત્ર- [email protected], મો. 09669290067 (મધ્ય પ્રદેશ) અને 09024390067 (રાજસ્થાન).
Comments
English summary
Everybody searching for their own yearly horoscope. Here we bring for you the year predictions about India in 2015.
Story first published: Wednesday, January 7, 2015, 18:51 [IST]