મળો 'અઘોરી' બાબાઓને, જે પીવે છે લોહી, અને ખાય છે માનવ માંસ
નવી દિલ્હી, 3 માર્ચ: આપે અઘોરી બાવાઓનું નામ તો સાંભળ્યું જ હશે. જેમનું નામ લેતા જ આંખોની સામે અજબ-ગજબની ડરાવનાર તસવીરો આવી જાય છે. પરંતુ આપમાંથી ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે જેટલા વિચિત્ર આ લોકો હોય છે તેટલી જ વિચિત્ર અને અજબ-ગજબ તેમની આદતો પણ હોય છે. જોકે ઇતિહાસ કહે છે કે આજથી લગભગ 1000 વર્ષ પહેલા વારાણસીમાં 'અઘોરિઓ'નો જન્મ થયો હતો. પરંતુ આજે તેમની સંખ્યા ખૂબ જ ઘટી ગઇ છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં આવેલા ગિરનારને પણ અઘોરી બાવાનું ઘર માનવામાં આવે છે. તેઓ ગિરિપર્વતમાં પોતાનું તપ કરે છે, તપસ્યા કરે છે અને વર્ષો સુધી તેઓ અહીં જ પડ્યા રહે છે, જોકે તેઓ વર્ષે-બે વર્ષે બહાર આવે છે અને કુંભ મેળા જેવા મેળાઓમાં ભાગ લેવા માટે.
આવો આપને જણાવીએ કે 'અઘોરીઓ' અંગે ખાસ વાતો...
અઘોરી બાવા
અઘોરી ખાસ કરીને તંત્ર-મંત્ર અને સ્મશાન ઘાટો પર પોતાનું જીવન વિતાવનારા હોય છે.
અઘોરી બાવા
અઘોરી બાબા માનવ માંસ અને લોહી પીવાથી પણ ખચકાતા નથી.
અઘોરી બાવા
અઘોરી બાબાઓને ખોપડીનું લોહી પીવા અને અન્ય જાનવરોનું માથું ખાવામાં મજા આવે છે.
અઘોરી બાવા
ભારતમાં સૌથી વધારે અઘોરી બનારસમાં મળી આવે છે, એવું કહેવામાં આવે છે કે તેઓ ભવિષ્યને પણ જોઇ શકે છે.
અઘોરી બાવા
અઘોરીઓની પૂજા દારુ અને ગાંજા વગર પૂરી થઇ નથી શકતી.
અઘોરી બાવા
અઘોરી મૃતદેહોને પણ નથી છોડતા, તેઓ મૃતદેહોનો પ્રયોગ પોતાની પૂજા અને તંત્ર-મંત્રમાં કરે છે.
અઘોરી બાવા
સામાન્ય રીતે તેમના શરીર પર કપડાના નામે માત્ર લંગોટ હોય છે, જોકે ઘણા લોકો નગ્ન અવસ્થામાં પણ ફરતા હોય છે.
અઘોરી બાવા
અઘોરીના શરીર ધૂળ-માટી, અને ખાસ કરીને ભસ્મથી ચોળાયેલું રહે છે.
અઘોરી બાવા
તેઓ કોઇને પણ જાણી જોઇને છેડતા નથી, પરંતુ જો તેઓ કોઇની પાછળ પડી જાય તો તેઓ તેમના પ્રકોપથી બચી શકતા નથી.
અઘોરી બાવા
જો કે માન્ય તા છે કે અઘોરી બાબા કોઇને જો આશિર્વાદ આપે છે તો તે વ્યક્તિ હંમેશા ખુશ-ખુશાલ રહે છે.