5 કારણો કેમ લોકો મૃત્યુ પછી ભૂત બને છે?
શું તમને ખબર છે કયા કારણો સર માણસ તેની મૃત્યુ બાદ ભૂત બને છે? મોટાભાગની સંસ્કૃતિ ભૂત જેવી ખરાબ ઊર્જાના અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે. વધુમાં ભારતમાં પણ આ મામલે અનેક ધારણાઓને મોટાપાયે માનવામાં આવે છે.
એટલું જ નહીં મોટાભાગના લોકોને મૃત્યુ બાદ સ્વર્ગ કે નર્કમાં જવાનું વધુ પસંદ કરે છે. અને તે આત્માનું ભૂત બનવું અધાર્મિક માને છે. વધુમાં મોટાભાગના ધર્મામાં પણ સારું જીવન જીવવા અને સારા કર્મો કરવા પર ભાર મૂકવામાં આવે છે. જેથી માણસની મૃત્યુ બાદ તેની આત્માને શાંતિ મળે અને તે આ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય.
ત્યારે વિવિધ માન્યતાઓ મુજબ મૃત્યુ બાદ ભૂત બનવાના શું શું કારણો છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...
અધૂરી ઇચ્છાઓ
અધૂરી ઇચ્છાઓ, સૌથી પહેલું અને મહત્વનું કારણ છે મૃત્યુ પછી ભૂત બનાવું. જ્યારે કોઇની મૃત્યુ આકસ્મિત સંજોગામાં થાય છે અને જે તે વ્યક્તનું કોઇ મહત્વનું કામ જે તેના માટે ખૂબ જ ખાસ હોય છે તે અધુરું રહી જાય છે ત્યારે પણ આ કાર્યની પૂર્તિ ના થાય ત્યાં સુધી તેની આત્માને સંતોષ નથી મળતો.
સારા કર્મો
અમુક સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે જે માણસોએ ખરાબ કર્મ કર્યા હોય, જીવન ભર અનૈતિક કાર્યો કર્યા હોય તેને દંડ સ્વરૂપે ભૂત જીવન મૃત્યુ વચ્ચે ફરવું પડે છે. અને તેમની આત્માને શાંતિ પ્રાપ્ત નથી થતી.
લાલચ
ભૌતિક સુખોને અતિશય લાલચ. કોઇ વસ્તુ મેળવવાની લાલચ કે પછી જે ભૌતિક સુખો છે તે કોઇ બીજા જોડે ના જાય તેવી અદમ્ય ઇચ્છા પણ ક્યારેક તમારી આત્માને આ મોહમાયાના સંસારથી મુક્ત નથી થવા દેતી.
નકારાત્મક વિચારો
અમુક લોકો નકારાત્મકાથી એટલા ભરાયેલા હોય છે. તેમના મગજમાં આ વિચારો એક એવું ઝેર ઊભું કરે છે કે મૃત્યુ બાદ પણ તેમની આત્માને શાંતિ મળતી નથી.
અહંમ
કોઇ વ્યક્તિનો અહંમ એટલો સખત હોય છે કે તેની આત્માને મૃત્યુ પછી પણ શાંતિ નથી મળતી.