ભારતમાં પણ છે લગ્ન પહેલા હનીમૂન મનાવવાની પવિત્ર પરંપરા
તમે ક્યારેય પણ વિચાર્યું છે કે લગ્ન પહેલા તમને હનીમૂનનો મોકો મળી શકે છે. અહી અમે વિદેશની વાત નથી કરી રહ્યા. પરંતુ ભારતમાં જ એવી જગ્યા છે જ્યાં લગ્ન પહેલા વરરાજાને હનીમૂન મનાવવાની મંજુરી મળે છે.
છતીસગઢ ના બસ્તર માં એક એવી જનજાતિ છે. જ્યાં લગ્ન પહેલા વરરાજાને હનીમૂન મનાવવાની મંજુરી આપવામાં આવે છે. આ પરંપરા ગોડ જનજાતિમાં પ્રચલિત છે જેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.
ગોડ જનજાતિના લોકો મોટેભાગે છતીસગઢ અને ઝારખંડ ના જંગલોમાં જોવા મળે છે. આ પરંપરાને ઘોટુલના નામથી ઓળખવામાં આવે છે. તો જુઓ આ પવિત્ર પરંપરા સાથે જોડાયેલી રસપ્રદ વાતો...
ગૃહસ્થીની આપવામાં આવે છે શિક્ષા
આ પરંપરાનો મુખ્ય ઉદેશ્ય છે કે લોકોને ગૃહસ્થી વિશે શિક્ષિત કરવામાં આવે અને તમામ જવાબદારી વિશે માહિતગાર કરવામાં આવે.
અલગ નામથી બોલાવે છે છોકરા-છોકરીને
આ પરંપરા મુજબ છોકરાને ચેલીક અને છોકરીને મમોટીયાર તરીકે બોલાવવામાં આવે છે.
લિંગો દેવે શરુ કરી હતી આ પરંપરા
માનવામાં આવે છે કે આ પરંપરા લિંગો દેવે શરુ કરી હતી. જે ગોડ જનજાતિ ના ભગવાન છે.
ઝુપડામાં રહે છે છોકરીઓ
આ પરંપરા મુજબ ગામની બહાર ઝુપડા બનાવવામાં આવે છે. જ્યાં છોકરીઓને શિક્ષા આપવામાં આવે છે.
ક્યારેય પણ નથી થતો બળાત્કાર
પરંપરાના જાણકારો નું માન્યે તો આ પરંપરાથી આ પ્રજાતિ માં આજ સુધી એક પણ બળાત્કારની ઘટના બની નથી.