For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 મું પગાર પંચ: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 23 લાખ લોકોને થશે લાભ

મોદી સરકારે હવે એક એવો નિર્ણય લીધો છે જેનાથી આશરે 23 લાખ નિવૃત્ત શિક્ષકો અને યુનિવર્સિટીના બિન-શિક્ષણ કર્મચારીઓને ફાયદો થશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

મોદી સરકારે હવે એક એવો નિર્ણય લીધો છે જેનાથી આશરે 23 લાખ નિવૃત્ત શિક્ષકો અને યુનિવર્સિટીના બિન-શિક્ષણ કર્મચારીઓને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે નિવૃત્ત ફેકલ્ટી અને બિન-શિક્ષણ કર્મચારીઓના પેન્શનને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો છે કે જેમણે યુનિવર્સિટી અને તેમની કોલેજોમાં કામ કર્યું છે. આ ફેરફાર સરકાર દ્વારા 7 માં પગાર પંચની ભલામણ પર કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણ સાથે સેન્ટ્રલ યુનિવર્સિટીઝના લગભગ 25 હજાર પેન્શનરોને 6 હજારથી વધારીને 18 હજાર રૂપિયાનો ફાયદો થશે.

એચઆરડી મંત્રીએ આપી છે માહિતી

એચઆરડી મંત્રીએ આપી છે માહિતી

તેની સાથે જ સરકારના આ નિર્ણયનો લાભ 8 લાખ શિક્ષકો, 15લાખ બિન-શિક્ષણ કર્મચારીઓને પણ મળશે, જે સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી અને તેની સાથે જોડાયેલી કોલેજોમાંથી નિવૃત્ત થયા છે. આ સંદર્ભમાં યુનિયન એચઆરડી મિનિસ્ટર પ્રકાશ જાવેડકરએ ટ્વિટ કરી આ માહિતી આપી હતી. જાવેડકરએ તેના ટ્વિટમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટીના નિવૃત્ત શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓના પેન્શન 7 માં પગાર પંચ અનુસાર પુનર્જીવિત કર્યું છે.

પેન્શનરોને પણ મળશે લાભ

પેન્શનરોને પણ મળશે લાભ

પ્રકાશ જાવરે એ પણ લખ્યું હતું કે સરકારના આ નિર્ણયથી 25 હજાર વર્તમાન પેન્શનરોને ફાયદો થશે. સરકારના આ પગલાંને કારણે 8 લાખ શિક્ષણ અને 15 લાખ બિન-શિક્ષણ કર્મચારીઓને લાભ થશે. આના સિવાય ઘણા રાજ્યોની સરકારએ પોતાના કર્મચારીઓનો પગાર પે કમિશન ની ભલામણ અનુસાર વધારવા માટે વચન આપ્યું છે, પરંતુ ઘણા રાજ્યોમાં હજુ કર્મચારીઓ 7 માં પગાર પંચ અનુસાર પગાર આપવાની માંગ લઇને અલગ અલગ વિભાગોના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

મિઝોરમ સરકારે પણ કરી હતી ભલામણ

મિઝોરમ સરકારે પણ કરી હતી ભલામણ

તમને જણાવીએ કે અગાઉ, મીઝોરમ સરકારે 7 માં પગાર પંચની ભલામણ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનું નક્કી કર્યું હતું. સરકારના આ નિર્ણય પછી મિઝોરમ સરકારી કર્મચારીઓને પહેલી જાન્યુઆરી 2016 ના રોજ 7 માં પગાર પંચના આધારે ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. મિઝોરમમાં સરકારના આ નિર્ણયથી 42 હજાર કાયમી કર્મચારીઓ અને 34 હજાર અન્ય કર્મચારીઓને લાભ થશે.

English summary
7th Pay Commission: Central Government Employee Will Get Pension
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X