For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત Vs પાક., અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન?

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં સેનાના આર્મી બેઝ પર થયેલા હુમલા બાદ દેશમાં પાકિસ્તાન અને સરકારના વલણને લઇને આક્રમક પ્રતિક્રિયાઓ આવી રહી છે. હુમલામાં અત્યાર સુધીમાં 18 જવાન શહીદ થઇ ચૂક્યા છે અને ઘાયલ જવાનોની સારવાર ચાલુ છે. આ દરમિયાન મીડિયામાં લોકો પાસેથી એક વાત વારંવાર આવી રહી છે કે આપણે આ હુમલાનો વળતો જવાબ આપી પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઇએ પરંતુ આનાથી અલગ આ સમગ્ર મુદ્દાને જોવાનો એક આર્થિક દ્રષ્ટિકોણ પણ છે.

દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...

આર્થિક રીતે વિકાસ કરી રહ્યું છે ભારત

After uri attack people of india very keen to attack on pakistan

ભારત હાલમાં આર્થિક ક્રાંતિના સમયમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે. એશિયાના બે મોટા હરીફ ચીન અને જાપાન ભારતમાં ભારે રોકાણ કરી રહ્યા છે. યુરોપ અને અમેરિકા સહિત ખાડીના દેશો સાથે ભારતના આર્થિક સંબંધો ઐતિહાસિક રૂપે મજબૂત બની રહ્યા છે એવામાં યુદ્ધનો વિકલ્પ પસંદ કરવાથી દેશને આર્થિક રીતે મોટુ નુકશાન થઇ શકે છે.

અર્થવ્યવસ્થાની ગતિ પડશે ધીમી

After uri attack people of india very keen to attack on pakistan

જો યુદ્ધની સ્થિતિ આવે તો દેશમાં અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે. જો યુદ્ધ થયું તો ભારતમાં રોકાણ કરનારી તમામ વિદેશી કંપનીઓ અને વિદેશી રોકાણકારો બજારમાંથી પોતાના વધુ ને વધુ પૈસા ખેંચી લેશે જેનાથી બજાર નીચુ જઇ શકે છે. જ્યારે આ તરફ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આમ પણ ખૂબ જ નબળી છે. યુદ્ધની સ્થિતિ તેની કમર તોડી દેશે. આર્થિક સંકટને કારણે પાકિસ્તાન અને તેની સેના કમજોર પડી શકે છે જેનો ફાયદો ભારતને મળી શકે છે.

એફડીઆઇ પર પડશે નકારાત્મક અસર

After uri attack people of india very keen to attack on pakistan

જો યુદ્ધની સ્થિતિ આવે તો ભારતમાં વિદેશી રોકાણ પર મોટી અસર પડી શકે છે. ભારતમાં રોકાણ કરવાવાળી તમામ વિદેશી કંપનીઓ થોડા દિવસો માટે રોકાણ ટાળી શકે છે અથવા રદ્દ કરી શકે છે. એવામાં દેશની અર્થવ્યવસ્થાને મળનારી ગતિ ધીમી પડી જશે જેનું નુકશાન ભારતે ઉઠાવવું પડશે. જો કે આ નુકશાન એવું નહિ હોય જેનો ફાયદો પાકિસ્તાન ઉઠાવી શકે.

ચીન-પાકિસ્તાન કૉરિડોરને નુકશાન

After uri attack people of india very keen to attack on pakistan

જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ બની તો પાકિસ્તાનને સૌથી મોટુ નુકશાન ઇકોનોમિક કૉરિડોરમાં થઇ શકે છે. ચીને આ માટે 46 અબજ ડૉલરનું રોકાણ કર્યુ છે. યુદ્ધની સ્થિતિમાં ચીન કામ બંધ કરી શકે છે જેનું નુકશાન પાકિસ્તાનને ઉઠાવવું પડી શકે છે. ચીન-પાકિસ્તાન કૉરિડોર પાકિસ્તાન અને ચીન બંનેની ખૂબ જ મહત્વાકાંક્ષી પરિયોજના છે.

એક નજર ભારત અને પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

After uri attack people of india very keen to attack on pakistan

ભારત દુનિયાની ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે. દરેક મોટા દેશોની નજરો ભારત પર ટીકેલી છે. આ તરફ પાકિસ્તાન ભારતના મુકાબલે ખૂબ જ કમજોર છે. ભારત અને પાકિસ્તાન આર્થિક મોરચે કેટલા મજબૂત છે તેની વિગતવાર જાણકારી આગળ આપેલી છે:

જીડીપી

After uri attack people of india very keen to attack on pakistan

પાકિસ્તાનની હાલની જીડીપીની જો વાત કરીએ તો તે હાલમાં દુનિયાની ૪૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પાકિસ્તાનની કુલ જીડીપી ૨૭૦ બિલિયન અમેરિકી ડૉલર છે. જ્યારે ભારત દુનિયાની ૮મી સૌથી મોટી અને સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે જ્યારે ચીન બીજા નંબર પર છે.

વ્યક્તિદીઠ આવક

After uri attack people of india very keen to attack on pakistan

વ્યક્તિદીઠ આવકના મામલે પાકિસ્તાનની સ્થિતિ થોડી સારી છે. જો કે ભારતના મુકાબલે પાકિસ્તાનની જનસંખ્યા બહુ ઓછી છે એટલે વ્યક્તિદીઠ આવકનો આંકડો ભારતના વ્યક્તિદીઠ આવકની આસપાસ છે. હાલમાં પાકિસ્તાનની વ્યક્તિદીઠ આવક ૧૪૨૮.૯૯ ડૉલર છે જ્યારે ભારતની વ્યક્તિદીઠ આવક ૧૫૮૧.૫૯ ડૉલર છે. જ્યારે ચીનની વ્યક્તિદીઠ આવક ૭૯૨૪.૬૫ ડૉલર છે.

વિકાસદર

After uri attack people of india very keen to attack on pakistan

આખી દુનિયા એમ માનીને ચાલી રહી છે કે આવનારુ દશક ભારત અને ચીનનું હશે. દુનિયામાં એશિયાઇ દેશોનો પ્રભાવ હશે. જેમાં ભારત, ચીન, જાપાન, સિંગાપુર, થાઇલેંડ જેવા દેશ છે આમાં પાકિસ્તાને પણ પોતાને સામેલ કરી દીધું છે. જ્યારે સત્ય એ છે કે પાકિસ્તાનનો વિકાસદર ઘણા એશિયાઇ દેશોથી નીચો છે. હાલમાં પાકિસ્તાનનો વિકાસદર ૫.૫૪ % છે. જ્યારે ભારતનો વિકાસદર ૭.૫૭ % છે. ચીન ભારતથી પાછળ છે. ચીનનો વિકાસદર ૬.૯ છે.

બેરોજગારી

After uri attack people of india very keen to attack on pakistan

પાકિસ્તાનમાં બેરોજગારી એક મોટુ સંકટ છે. પાકિસ્તાનમાં ખૂબ જ ઓછા રોકાણને કારણે ત્યાં બેરોજગારી વધી છે. પાકિસ્તાનની આખી અર્થવ્યવસ્થા અત્યારે CPEC એટલે કે ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર પર નિર્ભર છે. પાકિસ્તાનનો હાલનો બેરોજગારીનો દર ૫.૨% છે. ભારતનો વર્તમાન બેરોજગારી દર ૩.૬ % અને ચીનનો ૪.૭ % છે.

ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચોભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચો

ડૉલરની કિંમત અને ગરીબીના આંકડા

After uri attack people of india very keen to attack on pakistan

પાકિસ્તાની રૂપિયો એક કમજોર અર્થવ્યવસ્થાની કમજોર રકમ છે. હાલમાં એક અમેરિકી ડૉલરની કિંમત ૧૦૪.૬૧ રૂપિયા છે જ્યારે ભારતમાં આ જ આંકડો ઘટીને ૬૬.૭૩ રૂપિયા પર આવી જાય છે અને ચીનમાં ૬.૬૩ યુઆન રહી જાય છે. પાકિસ્તાનની ૨૯.૫% જનસંખ્યા અત્યારે ગરીબી રેખા હેઠળ જીવી રહી છે. જ્યારે ભારતમાં આ આંકડો ૨૧.૯% છે. ચીનની સરકારે આ સંદર્ભમાં કોઇ આંકડા જારી કર્યા નથી.

સૈન્ય બજેટ

After uri attack people of india very keen to attack on pakistan

પાકિસ્તાન પોતાનું રક્ષા બજેટ પણ ભારે ભરખમ રાખે છે. પાકિસ્તાનનો કુલ સૈન્ય ખર્ચ તેની જીડીપીના ૩.૫૭% છે જ્યારે ભારતમાં આ આંકડો ઘટીને ૨.૪૨% છે અને ચીનમાં ઘટીને ૧.૯૮ % રહી જાય છે.

English summary
After uri attack on Indian Army base camp people of india very keen to attack on pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X