For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ બેંકોનું મર્જર, 22 બેંકોના શેરને 20000 કરોડનું નુકશાન

સરકારી બેંકોને મજબૂત બનાવવાની દિશામાં અગત્યનું પગલું ભરતા સરકારે ત્રણ બેંકોના મર્જરની પ્રક્રિયા શરુ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

સરકારી બેંકોને મજબૂત બનાવવાની દિશામાં અગત્યનું પગલું ભરતા સરકારે ત્રણ બેંકોના મર્જરની પ્રક્રિયા શરુ કરી દીધી છે. બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંક મર્જરને સરકારે મજૂરી આપી દીધી છે. પરંતુ મોદી સરકારનો બેન્કિંગ સિસ્ટમને મજબૂત કરવાનો આ ફોર્મ્યુલા રોકાણકારોને પસંદ નથી આવી રહ્યો. આજ કારણ છે કે મંગળવારે 22 બેંકોના શેરને 2.8 બિલિયન ડોલર (20000 કરોડ રૂપિયા) જેટલું ભારે નુકશાન વેઠવું પડ્યું છે.

Bank merger

ખરાબ લોનની સમસ્યાથી છુટકારો મેળવવાની લાંબી પ્રક્રિયા જણાવતા ડેવિડ સ્મિથે જણાવ્યું કે બજારની હાલત હજુ પણ માથાનો દુખાવો સાબિત થઇ શકે છે. દેના બેંકને મર્જર ઘ્વારા લાભ મળ્યો અને તેના શેરમાં 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જયારે બેંક ઓફ બરોડાને પણ 16 ટકા જેટલો ફાયદો મળ્યો છે જયારે વિજ્યા બેન્કને 5.8 ટકા જેટલુ નુકશાન ઉઠાવવું પડ્યું છે.

આ પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય, ત્રણ બેંકોનું થશે જોડાણ

જયારે એસબીઆઈ છેલ્લા બે મહિનાના નીચલા સ્તરે ચાલ્યો ગયો છે. તેની સાથે સાથે ઘણા બેન્કના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આખો દિવસ બજારમાં ઉથલ પુથલ જેવો માહોલ રહ્યો. આપને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંક મર્જર ઘ્વારા બનતી નવી બેન્ક ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક હશે. આ વિષય પર સરકારે જણાવ્યું કે મર્જર ઘ્વારા બનનાર નવી બેંકનો કસ્ટમર બેઝ, માર્કેટમાં પહોંચ અને સંચાલય ક્ષમતા વધશે.

English summary
Bank of Baroda, Dena Bank, Vijaya Bank merger stuns market, loss of 2.8 million dollars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X