ભારતી એરટેલે ક્લૉલકોમના એકમોમાં પોતાનો હિસ્સો વધાર્યો
આ અંગેની એક જાહેરાતમાં કંપનીએ જણાવ્યું કે ભારતી એરટેલે આજે ક્લૉલકોમ એપીની તમામ ચાર બીડબલ્યુએ કંપનીઓમાં પોતાનો હિસ્સો બે બે ટકા વધાર્યો છે. આ પહેલા મે 2012ના રોજ ભારતી એરટેલ અને ક્વૉલકોમે આ હેતુથી એક સમજુતિ કરી હોવાની જાહેરાત પણ કરી હતી. આ સમજુતિ અંતર્ગત ભારતી એરટેલે દિલ્હી, મુંબઇ, કેરળ અને હરિયાણા સર્કલમાં 4જી સેવા પ્રદાન કરવાનું લાયસન્સ મેળવનારી ક્વૉલકોમના ચારેય એકમોમાં 49 ટકાની ભાગીદારી મેળવી લીધી હતી.
આ એકમોમાં બે ટકા હિસ્સેદારી વધતા ભારતીનો હિસ્સો 51 ટકા થઇ ગયો છે. જેના કારણે ક્વૉલકોમની કંપનીઓ ભારતી એરટેલની આનુષાંગિક કંપનીઓ બની છે. આ જાહેરાત બાદ ભારતીય શેર માર્કેટમાં ભારતી એરટેલના શેરના ભાવોમાં 2.34 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તેનો શેર 301.15 રૂપિયાના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો. આ સોદાથી હવે ભારતી એરટેલ 8 સર્કલમાં બ્રોડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવી શકશે.