કેન્દ્રની સુપ્રીમને અરજી, 46 કોલસા ખાણની ફેર હરાજી રદ કરો
નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર : કોલસાનું ઉત્પાદન કરતી 218 ખાણો પૈકી 40 ખાણોની ફેર હરાજીને રોકી દેવા માટે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે. આ વિનંતી કરવાનું કારણ એ છે કે આ કોલસા ખાણો એવી છે જ્યાં હાલ કોલસાનું ઉત્પાદન ચાલુ છે અથવા ઉત્પાદન કાર્ય પૂરું થવા આવ્યું છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે ગયા અઠવાડિયે દેશની જૂની પદ્ધતિ મુજબ કોલસા બ્લોકની ફાળવણીને ગેરકાયદેસર અને અયોગ્ય ઠેરવી હતી. જેમાં દેશને લાખો-કરોડો રૂપિયાનું નુકશાન થવાની ભીતિ છે.
એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કંપનીઓના કેટલાક શેર્સ રજુ કર્યા હતા જેના પરથી કોર્ટેને એકસાથે તમામ કોલ બ્લોકની ફાળવણી રદ્દ નહિ કરવાની અરજી કરતી હતી.
'જો કોર્ટ કંપનીઓને માઈન્સ રાખવાની મંજુરી આપે તો કેટલીક રકમનો દંડ ભર્યા બાદ સારા સમાચાર મળે તેમ છે',એવું મેનેજમેન્ટ કન્સલટન્ટે જણાવ્યું હતું.
કોર્ટે હાલ સરકાર પાસેથી ચાલુ કોલસાની ખાણોની યાદી મંગાવી છે અને આગલી સુનાવણી 9 સપ્ટેમ્બરે ગોઠવી છે. 2012ના ઓડીટ રીપોર્ટમાં બહાર આવેલા આ 'કોલગેટ' કૌભાંડમાં 1,86,000 કરોડ રૂપિયાનો ગોટાળો થયાની આશંકા છે.