કોલસા મંત્રાલયે વધુ બે કોલ બ્લોકની ફાળવણી રદ કરી
કોલસા મંત્રાલયે છત્તીસગઢ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને લખ્યું છે કે સરકારે આંતર મંત્રાલય સમૂહ (આઇએમજી)ની ભલામણ પર વિચાર કર્યા બાદ તેને સ્વીકાર્યું છે.
આ અંતર્ગત છત્તીસગઢ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ફાળવવામાં આવેલી શંકરપુર (ભાટગામ બે) તથા તેના વિસ્તારવાળા કોલસા બ્લોકની ફાળવણી રદ કરી છે. સરકારે આ કંપની દ્વારા આપવામાં આવેલી કુલ બેંક ગેરન્ટીની અડધી રકમ કાપી લેવા માટે પણ નિર્ણય કર્યો છે. આ રકમ અંદાજે 1.59 કરોડ રૂપિયા જેટલી થાય છે.
મંત્રાલયે ઓડિશા માઇનિંગ કોર્પોરેશનને મોકલેલા એક અન્ય પત્રમાં કહ્યું છે કે કંપનીને ફાળવવામાં આવેલી ઉત્કલ ડી કોલસા બ્લોકની ફાળવણી રદ કરવામાં આવે છે. આંતર મંત્રાલય સમૂહે ખાનગી ક્ષેત્રની 51 કંપનીઓને ફાળવેલા 31 કોલસા બ્લોક્સની સમીક્ષા પૂરી કરી લીધી છે. સરકારે 13 કોલસા ખાણની ફાળવણી રદ કરવા અને 14 કેસમાં બેંક ગેરન્ટી કાપી લેવાની કરેલી ભલામણને સ્વીકારી લીધી છે. કુલ 58 ખાણોને નિર્ધારિત સમયસીમામાં વિકાસ પૂરો નહીં કરવા માટે કારણ બતાવો નોટિસ ફાળવવામાં આવી હતી.