For Quick Alerts
For Daily Alerts
કેન્દ્રના કર્મચારીઓના DAમાં 8 ટકાનો વધારો
વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં થયેલા કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે વધારો એક જાન્યુઆરી 2013થી લાગૂ કરવામાં આવશે અને કર્માચારી અને પેન્શનધારકોન એરિયરના હકદાર હશે.
તેમને કહ્યું હતું કે ગુરૂવારના નિર્ણયથી સરકાર ખજાના પર વાર્ષિક 8629.20 કરોડ રૂપિયાનો બોજો પડશે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે વધારાના સમયના ચૂકવણીના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોષ પર 10067 કરોડ રૂપિયાનો બોજો પડશે.
સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થું વધારીને 72 ટકા કર્યું હતું. તે સમયે વધારો એક જુલાઇ 2012થી લાગૂ કરવામાં આવ્યો હતો.
Comments
English summary
Union Cabinet on Thursday approved the proposal to increase DA to 80 percent, from existing 72 percent, benefiting about 50 lakh employees and 30 lakh pensioners of the central government.
Story first published: Friday, April 19, 2013, 15:58 [IST]