ફ્યુચર ગ્રુપે દક્ષિણ ભારતના અગ્રણી કન્ઝ્યુમર સ્ટોર નીલગિરિને ખરીદ્યું
નવી દિલ્હી, 21 નવેમ્બર : દક્ષિણ ભારતની મોટી રિટેલ ચેન નીલગિરિ કન્વિનિયન્સ સ્ટોર ચેનને કિશોર બિયાનીની ફ્યૂચર કન્ઝયુમર એન્ટરપ્રાઈઝિસએ 300 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. કેરલ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને મળીને નીલગિરિ કન્વિનિયન્સ સ્ટોર ચેનના કુલ 140 સ્ટોર્સ છે.
નીલગિરી કન્વિનિએન્સ કરિયાણાના સમાનની સાથે ડેયરી, ચૉકલેટ અને બેકરી કારોબારમાં પણ છે. એ જ નહીં બેંગ્લોરમાં તેમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ છે. ફ્યૂચર કન્ઝયુમરનો કારોબાર અત્યાર સુધી ઉતર અને પશ્ચિમ ભારતમાં ફેલાયેલો હતો પરંતુ નીલગિરિ કન્વીનિએન્સને ખરીદયા બાદ હવે દક્ષિણ ભારતમાં પણ પકડ મજબૂત થઈ જશે.
આ અંગેની સત્તાવાર જાહેરાત આજે શુક્રવાર, 21 નવેમ્બર, 2014ના રોજ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ફ્યુચર ગ્રુપના સીઇઓ કિશોર બિયાણીએ જણાવ્યું કે 'નીલગિરિઝનું અધિગ્રહણ કર્યા બાદ અમે ભારતમાં એક જબરદસ્ત સુવિધા સ્ટોર નેટવર્ક બનાવવાની દિશામાં આગળ વધીશું.' જો કે કંપની તરફથી આ ખરીદ વેચાણના આંકડા અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.