મોંઘા બટાકા-ડુંગળીની સ્થિતિ સામે મોદી સરકારનો ફોર્મૂલા તૈયાર
નવી દિલ્હી, 3 જુલાઇ: સારા દિવસની રાહમાં જુલાઇની બીજી તારીખ સુધી પહોંચી ગયેલી દેશની જનતાને મોંઘવારી વધુ મુશ્કેલીમાં નાખી રહી છે. દિલ્હીના ખુલ્લા બજારોમાં ડુંગળીની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. આવામાં આજે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનું પગલું ભરતા ડુંગળી અને બટાકાને જરૂરી વસ્તુ અધિનિયમની સૂચિમાં સામેલ કરી લીધા છે. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકાર નક્કી કરી શકશે કે કારોબારી સ્ટોકમાં કેટલાં બટકા-ડુંગળી રાખવા. સરકારે જમાખોરી રોકવા માટે રાજ્ય સરકારોની જવાબદારી વધારી દીધી છે.
વધતી મોંઘવારી વિરુધ્ધ દેશના અલગ-અલગ ભાગોમાં બુધવારે પણ વિરોધ પ્રદર્શન થયું. પ્રદર્શનમાં વિપક્ષી દળોની સાથે સામાન્ય વ્યક્તિ પણ સામેલ થઇ રહ્યો જે સારા દિવસોની રાહમાં મોંઘી વસ્તુઓ ખરીદી રહ્યો છે. એવામાં લગભગ બે કલાક સુધી ચાલેલી કેબિનેટની બેઠક બાદ સરકારે તાબડતોડ ઘણા મહત્વના નિર્ણયોની જાહેરાત કરી દીધી.
કેન્દ્રની કોશિશ જમાખોરી રોકવા માટે રાજ્ય સરકારોને વધારેમાં વધારે અધિકાર આપવાની છે. આની વચ્ચે દિલ્હી સરકારે બુધવારથી જ 300 અલગ-અલગ સ્થળો પર સસ્તી ડુંગળી વેચવાનું શરૂ કરી દીધું. સરકારી સ્ટૉલ પર ડુંગળી 20 રૂપિયા કિલો અને બટાકા 18 રૂપિયા કિલો વેચવામાં આવી રહ્યા છે.