ડીઝલનો ભાવવધારો પાછો ખેંચવાનો સવાલ જ નથી : મોઇલી

જયપુરમાં ચાલી રહેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં પત્રકારો સાથે વાતચીતમાં વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે ક્યારેક-ક્યારેક લોકો સમજતા નથી. કેરોસીનના ભાવમાં અમે વધારો કર્યો નથી આ મોટાપાયે લોકોને પ્રભાવિત કરે છે. જ્યારે સબસિડીયુક્ત એલપીજીની સંખ્યા વધારવાની માંગ ઉઠી તો અમે ભાવ વધાર્યા વિના તેની સંખ્યા નવ કરી દિધી છે.
વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે વિજય કેલકર સમિતિએ ધીમે-ધીમે સબસિડી સમાપ્ત કરવાની ભલામણ કરી છે. રાજગના શાસનકાળ દરમિયાન ડીઝલને નિયંત્રણમુક્ત કરવાની માંગણી કરી છે પરંતુ ભારત એક એવો દેશ છે જ્યાં ડીઝલ પર નિયંત્રણ છે. વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે વિશ્વમાં સૌથી સસ્તુ ડીઝલ અથવા પેટ્રોલ ભારતમાં ઉપલબ્ધ છે જ્યારે તેલ ઇંઘણ 83 ટકા આયાત કરીએ છીએ.












Click it and Unblock the Notifications
