હવે 1 દિવસમાં જ તમને મળશે PAN અને TAN નંબર, આ રીતે...
સરકારે નવા વેપારને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના શરૂ કરી છે. જે હેઠળ હવે ખાલી 1 દિવસમાં પાન નંબર અને ટાન નંબર જાહેર થશે.
વેપારને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક નવી યોજના શરૂ કરી છે. જે હેઠળ લોકોને વેપાર કરવામાં સરળતાા રહે તે માટે નવા કોર્પોરેટ્સને એક દિવસની અંદર જ પાનકાર્ડ અને ટાન નંબર આપવામાં આવશે. કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડે જણાવ્યું છે કે આ માટે કંપની મામલાના મંત્રાલય સાથે એક કરાર કરવામાં આવ્યો છે. જે હેઠળ નવા કોર્પોરેટ્સને સ્થાઇ ખાતા સંખ્યા અને કર કપાત એકાઉન્ટ નંબર સંખ્યા 1 દિવસની અંદર જ મળી જશે. આ માટે તમારે કંપની વિભાગના મંત્રાલયની વેબસાઇટ પર જઇને આવેદન ફોર્મ SPICe ભરવું પડશે. ફોર્મમાં તમામ જાણકારી ભરવી પડશે. તે પછી ફોર્મને સબમિટ કરવાથી તે મંત્રાલય દ્વારા સીબીડીટીની પાસે જશે. જે પથી તેને જલ્દી જ પાન અને ટાન નંબર આપવામાં આવશે.
પણ જાહેર કરવામાં આવશે. જાણકારી મુજબ 31 માર્ચ સુધી 19,704 નવગઠિત કંપનીઓના પેન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 10,894 કંપનીઓને 4 કલાકમાં પાન નંબર જાહેર કરવા અને 94.7 ટકા કિસ્સામાં ટાન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ નવી પ્રણાલીથી કંપનીઓને રજિસ્ટ્રેશનમાં ઓછા સમય લાગે છે. અને વેપારને પણ પ્રોત્સાહન મળે છે. ત્યાં જ સીબીડીટીએ ઇલેક્ટ્રોનિક પાન કાર્ડ સુવિધા પણ શરૂ કરી છે. જેને ઇમેલ દ્વારા મોકલવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક પાન કાર્ડને સરકાર ડિજિટલ લોકરમાં પણ સંભાળીને રાખી શકાય છે.
Read also : નોકરીયાત લોકો માટે ખુશખબરી, આ APPથી નીકાળો પીએફ