કોરોનાઃ RBI ગવર્નરે કરી અપીલ, ‘રોકડ લેવડ-દેવડ નહિ માત્ર ડિજિટલ પેમેન્ટ કરો'
આરબીઆઈ તરફથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે ડિજિટલ બેંકિંગનો ઉપયોગ લેવડ-દેવડ માટે કરે નહિ કે રોકડનો.
કોરોના વાયરસ સામે લડવા માટે ભારત સરકાર દરેક સંભવ કોશિશ કરી રહી છે. લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી રહી છે અને કડકાઈથી સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા કહી રહી છે. તમામ સરકારી સંસ્થાઓ આ બાબતે પોતાના તરફથી કોશિશ કરી રહી છે જેથી લોકોને સંક્રમણા જોખમ સામે જાગૃત કરી શકાય. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા પણ લોકને સંક્રમણથી બચાવવા માટે અલગ અલગ રીતો સૂચવી રહી છે. આરબીઆઈ તરફથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે ડિજિટલ બેંકિંગનો ઉપયોગ લેવડ-દેવડ માટે કરે નહિ કે રોકડનો.

રોકડનો ઉપયોગ ન કરો
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોરોના વાયરસના કારણે દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે તે ઘરમાં જ રહે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે. આના માટે લોકો ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડ અને મોબાઈલ એપનો ઉપયોગ કરે. ગવર્નરે કહ્યુ કે ડિજિટલ ચૂકવણી દ્વારા તમે સુરક્ષિત રહી શકશો. તમે લોકો રોકડાનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. જેટલુ સંભવ હોય એટલુ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ એપનો ઉપયોગ ચૂકવણી માટે કરો.

દેશભરમાં લૉકડાઉન
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે આખા દેશમાં લૉકડાઉન છે પરંતુ આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો પોતાના ઘરે જવા નીકળી પડ્યા છે. લકોની ભારે ભીડ દિલ્લીમાં જમા છે. દિલ્લી-રાજસ્થાન અને હરિયાણા વગેરેથી યુપી અને બિહાર જતા મજૂરોનુ પલાયન ચાલુ છે. તમામ પ્રયાસો બાદ પણ હજારોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો ભૂખ્યા-તરસ્યા ઘર વાપસી માટે માઈલો સુધી પગ ચાલીને જઈ રહ્યા છે. આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં એક લાખ લોકો ઉત્તર પ્રદેશ પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આ લોકોને ક્વૉરંટાઈનમાં રાખવામાં આવે.

લાખો લોકોને ક્વૉરંટાઈમાં રાખવામાં આવશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે છેલ્લા ત્રણ દિવસોમાં એક લાખ લોકો દેશના અલગ અલગ રાજ્યોથી રાજ્યમાં પહોંચ્યા છે. આ બધા લોકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર જિલ્લાધિકારીઓને આપવામાં આવ્યા છે અને તેમનુ મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રીએ આ બધા લોકોને ક્વૉરંટાઈનમાં રાખવા અને તેમને જમવા સાથે અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
