For Quick Alerts
For Daily Alerts
ક્રેડિટ પોલીસીની જાહેરાત, વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નહી
રાષ્ટ્રીય બેંકે કહ્યું છે કે ફુગાવમાં વધારો થતાં નાણાંકિય સ્થિતીનું ધ્યાન રાખતાં આર્થિક વૃદ્ધિના રસ્તામાં આવનારી મુશ્કેલીઓને દૂર કરવામાં આવશે.
રિઝર્વ બેંકની નાણાંકિય નિતીની આજે મધ્ય ત્રિમાસીક સમીક્ષામાં બેંકોના કેશ અનામત ગુણોત્તરને 4.25 ટકા, રેપો રેટને 8 ટકા યથાવત રાખ્યું છે. રિઝર્વ બેંકના ગર્વનર ડી. સુબ્બારાવે સમીક્ષામાં કહ્યું હતું કે નાણાંકીય દબાણમાં ઘટાડો જોતાં નાણાંકીય સ્થિતીને પણ આગળ આર્થિક વૃદ્ધિના ખતરાઓ પર ધ્યાન રાખવું પડશે. રિઝર્વ બેંક 29 જાન્યુઆરીના ત્રિમાસીકની નાણાંકીય સ્થિતીની જાહેરાત કરશે.
Comments
English summary
Reserve Bank on Tuesday kept the key interest rates unchanged but hinted easing of rates in January saying with decline in inflation.,
Story first published: Tuesday, December 18, 2012, 14:07 [IST]