સોનામાં ફરી આવી ચમક, 5 વર્ષમાં દિવાળી પર સૌથી વધુ વેચાણ નોંધાયું

ધનતેરસ અને પુષ્ય નક્ષત્રના રોજ મુહૂર્તની ખરીદી કરવા માટે ગ્રાહકોએ મોટાપાયે આ દિવાળીએ સોનાનો ધસારો રહ્યો છે. આ વર્ષે આ બે શુભ અવસરો પર ગુજરાતમાં રૂપિયા 372 કરોડ અથવા 750 કિલોગ્રામની સોનાનું વેચાણ થયું હતું.

ધનતેરસ અને પુષ્ય નક્ષત્રના રોજ મુહૂર્તની ખરીદી કરવા માટે ગ્રાહકોએ મોટાપાયે આ દિવાળીએ સોનાનો ધસારો રહ્યો છે. આ વર્ષે આ બે શુભ અવસરો પર ગુજરાતમાં રૂપિયા 372 કરોડ અથવા 750 કિલોગ્રામની સોનાનું વેચાણ થયું હતું. સોના માટે છેલ્લા પાંચ વર્ષમાં આ શ્રેષ્ઠ દિવાળી રહી છે, એમ જ્વેલર્સે જણાવ્યું હતું.

ધનતેરસ પર રાજ્યભરમાં આશરે 300 કિલો સોનાનો વેપાર થયો હતો, જ્યારે પુષ્ય નક્ષત્રના રોજ આશરે 450 કિલો વેચાણ થયું હતું, જે 28 ઓક્ટોબરના રોજ ઘટ્યું હતું, એવું ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના અંદાજો દર્શાવે છે.

gold

IBJAના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત વર્ષના પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના તહેવારોમાં અંદાજિત 300 કિલોના વેપારની સરખામણીએ મુહૂર્ત સોનાનું વેચાણ 150 ટકા વધ્યું હતું.

જ્વેલર્સે જણાવ્યું હતું કે, માગમાં વધારો, રોકાણકારોને એસેટ ક્લાસ તરીકે સોનામાં વિશ્વાસ અને દિવાળી બાદ નિર્ધારિત ઘણા લગ્ન પ્રસંગોએ દિવાળીના તહેવારો દરમિયાન સોનાના વેચાણને પ્રોત્સાહન આપ્યું છે. અમદાવાદ માર્કેટમાં મંગળવારના રોજ સોનાનો ભાવ 49,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયો હતો.

આચાર્યએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષના સમયગાળા બાદ ગુજરાતમાં સોનાની માગ આ સ્તરે છે. વેડિંગ જ્વેલરીની ખરીદી દ્વારા વેચાણનું પ્રમાણ મોટે ભાગે હતું. સિક્કા

અને બારની ખરીદીને કારણે પણ માગમાં વધારો થયો હતો. ખાસ કરીને રોગચાળા દરમિયાન અને પછી તેમના રોકાણ પર સારા વળતરનો લાભ લીધા બાદ રોકાણકારોએ સોનામાં તેમનો વિશ્વાસ અકબંધ રાખ્યો છે. જે કારણે આવનારા મહિનાઓમાં ભાવ મજબૂત થવાની અપેક્ષાએ લોકો મોટી સંખ્યામાં રોકાણ કરી રહ્યા છે.

જ્વેલર્સ સૂચવે છે કે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ એકંદરે સકારાત્મક રહ્યું કારણ કે ગ્રાહકો હળવા વજનની જ્વેલરી ખરીદવા માટે આવ્યા હતા જેમાં વીંટી, ઇયરિંગ્સ, હળવા વજનની ગળાની સાંકળો અને અન્ય ટ્રિંકેટ્સનો સમાવેશ થાય છે. અંદાજ મુજબ ધનતેરસના દિવસે એકલા અમદાવાદમાં ઓછામાં ઓછા 100 કિલો સોનાનો વેપાર થયો હશે. સોના ઉપરાંત ચાંદીની માગ પણ સારી રહી હતી. મંગળવારે અમદાવાદ માર્કેટમાં ચાંદીનો ભાવ 66,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થયો હતો.

ઘણા યુવા ખરીદદારો સોના અને ચાંદીના દાગીના તેમજ બુલિયન બંને ખરીદવા માટે બહાર આવી રહ્યા છે, કારણ કે તેઓને બચતનું મહત્વ સમજાયું છે, ઉદ્યોગના ખેલાડીઓ સૂચવે છે.

જ્વેલર્સ એસોસિએશન ઑફ અમદાવાદ (JAA)ના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે, આ તહેવારોની સિઝનમાં ચાંદીની માગ ખૂબ સારી રીતે ખુલી છે અને યુવાન ખરીદદારો હળવા વજનના ચાંદીના ઘરેણાં ખરીદવા માટે મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. તે ભવ્ય ડિઝાઇન સાથે આવે છે. હકીકતમાં જ્વેલર્સ તેમના ચાંદીના દાગીનાના વિશિષ્ટ કલેક્શનને પણ લોન્ચ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X