મોદી સરકાર મોટું પગલું ભરી શકે છે, પૈસા ઉપાડવા મોંઘા પડશે
કાળાં નાણાંને અંકુશમાં લેવા અને ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર આ બજેટમાં કડક પગલાં લઈ શકે છે.
કાળાં નાણાંને અંકુશમાં લેવા અને ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર આ બજેટમાં કડક પગલાં લઈ શકે છે. જો મળી રહેલી માહિતી સાચી માનવામાં આવે તો, સરકાર નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ કેશ ઉપાડવા પર ટેક્સ લગાવી શકે છે. જો આવું થાય તો મોટા લેન દેન લોકો ડિજિટલ સ્વરૂપમાં કરશે, જેથી રોકડ રકમનું પ્રચલન ઘટશે અને કાળાં નાણાંને અંકુશમાં રાખવામાં પણ મદદ મળશે.
આ પણ વાંચો: SBI પહેલી બેન્ક છે જે તેના ગ્રાહકોને આ સારા સમાચાર આપવા જઈ રહી છે

વધુ લોકો ડિજિટલ ચૂકવણી તરફ જશે
જો સૂત્રો પાસેથી મળી રહેલી માહિતીને સાચી માનવામાં આવે, તો સરકાર એક ચોક્કસ મર્યાદાથી વધુ પૈસા ઉપાડવા માટે આધાર નંબરથી પ્રમાણિત કરવાનો માર્ગ લાવી શકે છે. જો આવું થાય, તો લોકો મોટા પ્રમાણમાં રોકડ ઉપાડશે નહીં અને જો ઉપાડે છે તો તેઓને ટ્રેક કરવાનું સરળ રહેશે. કારણ કે જો આધાર નંબરથી આવા મોટા ઉપાડ કરવામાં આવે છે, તો તે વ્યક્તિના આવકવેરા વળતરને મેચ કરવાનું સરળ રહેશે. આ આવકવેરાની ચોરીને તો અટકાવશે જ, અને વધુમાં વધુ લોકો ડિજિટલ ચૂકવણી તરફ જશે. જોકે સરકારે આમ કરવાની દરખાસ્તને હજી સુધી મંજૂરી આપી નથી, પણ આ કરવાના ઘણા રસ્તાઓ પર વિચાર જરૂર કરવામાં આવી રહ્યો છે. જોકે તે ફક્ત પ્રારંભિક તબક્કામાં છે અને આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હજી પણ 50 હજારની ડિપોઝિટ અને રોકડ ઉપાડ પર પેન નંબર આપવાનો હોય છે.

વાર્ષિક રૂ. 10 લાખથી વધુમાં રોકડ ઉપાડની જરૂર પડતી નથી
એક અધિકારીના જણાવ્યા મુજબ, દેશમાં મોટાભાગના લોકો અને વ્યવસાયોને વાર્ષિક રૂ. 10 લાખથી વધુમાં રોકડ ઉપાડની જરૂર પડતી નથી. આના કારણે, સરકાર એવું ઈચ્છી રહી છે કે એવી વ્યવસ્થા બનાવવામાં આવે જેથી બિન-જરૂરિયાતમંદ લોકો વધુ પ્રમાણમાં રોકડ રકમ ઉપાડે છે તો તેમના પર લગામ લગાવી શકાય. આ ઉપરાંત, 10,000 રૂપિયાથી વધુની ચુકવણી મોટી કંપનીઓ ચેક અથવા ઓનલાઈન જ કરી રહી છે.

ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન
અગાઉ, ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઇએ ગયા અઠવાડિયે નિફ્ટ અને આરટીજીએસ પરથી ચાર્જ હટાવી લીધો છે. આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડ્સ અને એટીએમ કાર્ડ્સ પર ચાર્જની પણ સમીક્ષાની એક કમિટીનું ગઠન કરી દીધું છે. તેનાથી આ બિન-રોકડ વ્યવહારોને પ્રોત્સાહન મળશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
