ડિજિટલ સિગ્નેચર શું છે? તે ક્યાંથી મળી શકે છે?
ડિજિટલ સિગ્નેચરએ ઇલેક્ટ્રોનિક ચિગ્નેચર છે. તે મોકલનારની ઓળખને માન્યતા આપે છે. ડિજિટલ સિગ્નેચરની નકલ કરી શકાતી નથી. ડિજિટલ સિગ્નેચર જણાવે છે કે કોઇ દસ્તાવેદ જેના નામની સહી છે તેણે લખ્યો છે અથવા તો જેના પર ડિજિટલ સિગ્નેચર કરવામાં આવી છે તે દસ્તાવેજ પર સહી કરનારની સંમતિ છે.
ડિજિટલ સિગ્નેચરની સાઇનવાળા દસ્તાવેજ મેળવનારી વ્યક્તિ ચેક કરે છે કે મેસેજ તે જ જગ્યાએથી આવ્યો છે કે જે વ્યક્તિની સહી થે. તેમાં ઇરાદાપૂર્વક કે અકસ્માતથી કોઇ છેડછાડ કરવામાં આવી નથી.
બીજા શબ્દોમાં કહીએ તો ડિજિટલ સિગ્નેચર્સ ખાતરી આપે છે અને ડિજિટલ મેસેજ અસ્વીકાર્ય થતા અટકાવે છે. તે ડિજિટલ મેસેજ મોકલનાર અને સહી કરનાર બંનેની ઓળખની સત્યાતાપૂર્તિ કરે છે. તે મેસેજનો મહત્વનો ભાગ છે.
ઓફિસ ઓફ કન્ટ્રોલર ઓફ સર્ટિફાઇંગ ઓથોરિટી (સીસીએ), આ પ્રકારના સર્ટિફિકેટ્સ સર્ટિફાયિંગ ઓથોરિટીને મોકલે છે. ત્યાર બાજ સર્ટિફાયિંગ ઓથોરિટી તે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ્સ એન્ડ યુઝરને મળે છે.
સર્ટિફિકેશન ઓથોરિટી (સીએ)ની નિયુક્તિ ઓફિસ ઓફ કન્ટ્રોલર ઓફ સર્ટિફાયિંગ ઓથોરિટિઝ (સીસીએ) દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. ડીએસસી આપવા માટે સત્તાવાર રીતે સીસીએ દ્વારા 7 એજન્સીઓની નિયુક્તિ કરી છે. આ સાત એજન્સીઓ આ મુજબ છે.
1.
www.safescrypt.com
2.
www.nic.in
3.
www.idrbtca.org.in
4.
www.tcs-ca.tcs.co.in
5.
www.mtnltrustline.com
6.
www.ncodesolutions.com
7.
www.e-Mudhra.com