આ વખતની મહાશિવરાત્રી છે ખાસ જાણો કેમ!
આ વર્ષની મહાશિવરાત્રી છે ખુબ જ ખાસ. 7 માર્ચ આવતી આ શિવરાત્રીમાં મહાવ્રતનો આ દિવસ શિવના પ્રિય દિવસ સોમવારે આવે છે જેના કારણે આ તહેવાર ખૂબ જ ફળદાયી રહેશે. જ્યોતિષ નીરજ પાંડેના જણાવ્યા મુજબ આ વખતે શિવરાત્રીમાં વ્રત રાખનાર જાતકોને અનેક લાભ થવાના છે.
જ્યોતિષ મુજબ જે જાતકોને ધન લાભ, સંતાન સુખ જેવા લાભોની ઇચ્છા હોય તેમણે આ શિવરાત્રીમાં વ્રત કરી શંકર ભગવાનની પૂજા કરવાથી અચૂકથી લાભ થશે. તો વળી જેના લગ્ન ના થતા હોય તેવા જાતકો માટે પણ આ શિવરાત્રી ફળદાળી સાબિત થશે. તો જાણો કેમ આ શિવરાત્રી છે આટલી ખાસ...
શિવરાત્રીનો સોમવાર
આ વખતે શિવના વાર તરીકે ગણાતા સોમવારના દિવસે જ મહાશિવરાત્રી આવી રહી છે જે ખૂબ જ શુભદાયી અને ફળદાયી છે.
શુભ ફળ સૂચક
સોમવારના આ દિવસે ધનિષ્ઠા નક્ષત્ર છે જે શુભ ફળનું સૂચન કરે છે. અને આ દિવસે ચાંડાલ યોગ પર આ નક્ષત્ર સાથે મળીને શ્રેષ્ઠ ફળ આપે તેવો યોગ બનાવે છે.
35 વર્ષ પછી અજબ સંયોગ
આ દિવસ અને યોગની 35 વર્ષ પછી ફરી આવી રહ્યો છે જે અત્યંત શુભદાયી છે.
માંગલિક દોષ દૂર કરે
જે લોકોને માંગલિક દોષ હોય તેમના માટે આ શિવરાત્રી ખુબ જ શુભ છે. આ દિવસે શંભુનાથને પાણી ચઢાવાથી તમારા તમામ દોષો દૂર થશે.
જલ્દી થશે લગ્ન
જે જાતકોના લગ્ન નથી થઇ રહ્યા કે લગ્નમાં અડચણ આવી રહી છે તેમને આ શિવરાત્રી કરવાથી જલ્દી જ લગ્ન થવાના આસાર બનશે. તેમણે આ શિવરાત્રીએ શિવની ખાસ પૂજા કરવી જોઇએ. વળી નિસંતાન યુગલોને પણ સંતાન સુખ મળી શકે છે.
ધન લાભ
આર્થિક તંગીથી પસાર થતા લોકો માટે પણ આ શિવરાત્રી લાભદાયક છે. શંકર ભગવાનની પૂજા કરવાથી તેમને ધન લાભ થશે.