યૌન શોષણથી પોતાના બાળકોને બચાવવા આ વાતો જરૂરથી વાંચજો
આજે ભારતભરમાં દરેક મા બાપને યૌન શોષણની ચિંતા સતાવે છે. દરેક મા-બાપના મનમાં બસ એક જ પ્રાર્થના હોય છે કે મારા છોકરા કે છોકરી જોડે આવું કંઇ ના થાય. વળી દિલ્હીમાં હાલમાં એક સિરીયલ કિલર લગભગ 15 બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કામ કરી તેમને મોતને ધાટ ઉતાર્યા છે.
ત્યારે આવા સમાચાર બાળકો અને માતા-પિતાને ફરીથી ચિંતિત કરીને મૂકી દે છે. અને જે ડરને આપણે નજર અંદાજ કર્યો છે હોય છે તે ડર ફરી આપણી સામે આવીને ઊભો રહી જાય છે.
શાળાઓ પણ અને માતા-પિતા દ્વારા પણ બાળકોને "ગુડ ટચ બેડ ટચ" જેવા સંકેતોથી માહિતગાર કરવામાં આવે છે. પણ તેમ છતાં તે છેવટે તો છે માસૂમ બાળક જ ને!. વળી તેમાં પણ તમે જો નોકરીયાત હોવ ત્યારે તમારા બાળકોની ચિંતા તમને સૌથી વધુ રહે છે.
ત્યારે આવા વિષયો પર જાગૃત્તા કે અવેરનેસ ખૂબ જ જરૂરી છે. અને આ જાગૃત્તા બાળકો અને વાલીઓ બન્નેમાં હોવી જોઇએ. ત્યારે બાળ શોષણને લગતી કેટલીક ખાસ માહિતીઓ આજે અમે તમને જણાવાના છીએ. જે જાણવી દરેક મા બાપ માટે જરૂરી છે. તો વાંચો આ ફોટોસ્લાઇડર અને હા તેને શેર કરવાનું ના ભૂલતા...
પિડોફિલિયા
બાળકો સાથે યોન તૃત્પિ કરનાર સાઇકિક લોકોને સાયન્સની ભાષામાં પીડોફિલિયા કહેવાય છે. આ એક તેવા મનોરોગી હોય છે જે બાળકોની સાથે જ યોન તૃત્પી કરે છે.
મનોવિજ્ઞાન
મનોવિજ્ઞાન મુજબ પીડોફિલિયા પીડિત વ્યક્તિ સંકુચિત માનસિકતા ધરાવે છે. તેના મગજમાં કોઇ વાત કે વસ્તુને લઇને આક્રોશ કે નારાજગી હોય છે જેના કારણે તે આવો દાનવ કે વૈશી બની જતો હોય છે.
2011
આપણા ભારતમાં બાળકોના યૌન શોષણ મામલે સંરક્ષણ અધિનિયમમાં સંશોધન 2011માં કરવામાં આવ્યું હતું.
નવા કાનૂન
નવા કાનૂન મુજબ યૌન ઉત્પીડન ઉપરાંત, બાળકોની સામે અશ્લીલ ચેનચાળા કરવા પણ અપરાધિક ગુના હેઠળ આવે છે.
અજાણી વ્યક્તિ
જો કોઇ અજાણી વ્યક્તિ બાળકો કે કિશોરા સામે અશ્લીલ પુસ્તક, પોસ્ટર કે અશ્લીલ ગીતો કે સીડી સંભળાવે કે દેખાડે છે તો તે પણ અપરાધ છે.
સરકાર
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મુજબ મોટા ભાગના યૌન પીડિતો બાળકોની આયુ 5 અને 12 વર્ષની હોય છે.
શોષણ
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મુજબ શોષણ ત્રણ રીતે સામે આવે છે શારિરીક, યૌન અને ભાવનાત્મક.
50 ટકા
50 ટકા બાળકો કોઇને કોઇ રીતે શારિરીક શોષણના શિકાર થયા હોય છે.
સંબંધીઓ
પારિવારિક સ્થિતિમાં શારિરીક રીતે 88.6 ટકા બાળકોને તેમના સંબંધીઓ દ્વારા યોન ઉત્પીડન કરવામાં આવે છે.