શું હોય છે લેવેન્ડર મેરેજ જેના પર બની છે ફિલ્મ 'બધાઈ દો'
લેવેન્ડર મેરેજ(Lavender marriage) શું હોય છે અને તે કેવી રીતે પ્રચલનમાં આવ્યુ. જાણો અહીં.
મુંબઈઃ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની વિચિત્ર કૉમેડી ફિલ્મ 'બધાઈ હો'નુ ટ્રેલર સામે આવતા જ લોકો આને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મનુ ટ્રેલર જોતા જ સમજમાં આવે છે કે ફિલ્મની કહાની આ બંને કેરેક્ટરોની આસપાસ ફરે છે જે એકબીજા સાથે લેવેન્ડર મેરેજ કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ લેવેન્ડર મેરેજ(Lavender marriage) શું હોય છે અને તે કેવી રીતે પ્રચલનમાં આવ્યુ.

શું હોય છે લેવેન્ડર મેરેજ?
લેવેન્ડર મેરેજ એવા સમલૈંગિક પુરુષ અને મહિલા વચ્ચે થાય છે જે સમલૈંગિક હોવા છતાં એકબીજા સાથે લગ્ન માત્ર એટલા માટે કરે છે જેથી લોકો સામે તેમની સમલૈંગિકતા સામે ન આવે. આવા લગ્ન કરવા પાછળ પરિવાર અને સમાજનુ દબાણ અને પોતાની પ્રતિષ્ઠાને બચાવવાનુ હોય છે જેથી તેમની સેક્સ્યુઆલિટી પર સવાલ ન થાય.

બધાઈ દો ફિલ્મની કહાની
દેહરાદૂનમાં શાર્દુલ(રાજકુમાર રાવ) નામનો પોલિસવાળો છેલ્લા ચાર વર્ષથી સુમન નામની એક છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. એક સ્કૂલમાં સુમન(ભૂમિ પેડનેકર) પીટી ટીચર તરીકે કામ કરે છે જેના ઉંમર 31 વર્ષ છે. તે લેસ્બિયન હોય છે અને શાર્દૂલ પણ સમલૈંગિક હોય છે. આ જ કારણે તે સુમનને પોતાના લેવેન્ડર મેરેજ માટે મનાવવામાં લાગેલો હોય છે. જેનાથી તેમના પરિવાર ચિક-ચિક બંધ કરી દે। લગ્ન પણ થઈ જાય છે પરંતુ તેમના ઘરવાળા હવે બાળકની માંગ કરે છે. જ્યારે પરિવારોને શાર્દૂલ અને સુમન વિશે ખબર પડશે ત્યારે શું થાય છે એ ફિલ્મમાં જોવાનુ છે.

હૉલિવુડથી આવ્યુ હતુ ચલણ
1920ના દશકમાં પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા હૉલિવુડ સ્ટાર્સ વચ્ચે લેવેન્ડર મેરેજ ઘણા ચર્ચાનો વિષય રહી ચૂક્યા છે. અમુક સ્ટાર્સે પરસ્પર આવા લગ્ન કર્યા. આની પાછળનુ કારણ હતુ કે તે પોતાની સેક્સ્યુઆલિટીને સાર્વજનિક રીતે ખરાબ કરવા નહોતા માંગતા કારણકે એ સમયમાં સમલૈંગિક લગ્નોને લઈને સમાજમાં લોકોનો દ્રષ્ટિકોણ સારો નહોતો. આ પહેલા 1885માં બ્રિટિશ પ્રેસમાં વાક્યાંશનો સૌથી પહેલો ઉપયોગ આ વખતે થયો જ્યારે આ રંગનો ઉપયોગ સમલૈંગિકતા સાથે જોડીને જોવામાં આવતો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
